ગિરગઢડા પંથકમાં અષાઢ માસ દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો. આ વરસાદે સમગ્ર નાઘેર પંથકમાં અતિવૃષ્ટી અને ખાના ખરાબી સર્જી હતી. આ વરસાદે પાણીની સમસ્યાનો પ્રશ્ન હલ કરી નાખ્યો હતો. પરંતુ ખેડૂતોના પાક તેમજ ખેતીના ધોવાણ થયા બાદ દોઢ માસથી વધારે સમયથી વરસાદ ખેંચાતા ધરતીપુત્રોમાં ચિંતા જોવા મળતી હતી અને વરસાદની રાહ જોવાતી હતી. ત્યારે ગઇકાલે સાંજે ગિરગઢડા પંથકમાં ગાજવીજ અને પવનનાં સુસવાટા વચ્ચે પોણા કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસી જતા પાકને જીવતદાન મળ્યું હતું.
ગિરગઢડા પંથકમાં અષાઢ માસ દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો. આ વરસાદે સમગ્ર નાઘેર પંથકમાં અતિવૃષ્ટી અને ખાના ખરાબી સર્જી હતી. આ વરસાદે પાણીની સમસ્યાનો પ્રશ્ન હલ કરી નાખ્યો હતો. પરંતુ ખેડૂતોના પાક તેમજ ખેતીના ધોવાણ થયા બાદ દોઢ માસથી વધારે સમયથી વરસાદ ખેંચાતા ધરતીપુત્રોમાં ચિંતા જોવા મળતી હતી અને વરસાદની રાહ જોવાતી હતી. ત્યારે ગઇકાલે સાંજે ગિરગઢડા પંથકમાં ગાજવીજ અને પવનનાં સુસવાટા વચ્ચે પોણા કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસી જતા પાકને જીવતદાન મળ્યું હતું.