જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ રવિવારે બે અલગ અલગ અથડામણમાં 5 આતંકીઓને ઠાર માર્યા હતા. આ એન્કાઉન્ટર રાજૌરી અને કુલગામ જિલ્લામાં થયા હતા. કુલગામમાં અથડામણ પછી થયેલા વિસ્ફોટમાં છ નાગરિકનાં મોત પણ થઈ ગયા. રાજૌરીમાં ઘૂસણખોરી રોકવા દરમિયાન સેનાના ત્રણ જવાન પણ શહીદ થઈ ગયા છે. સેનાના પ્રવક્તા કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું કે, અંકુશરેખા પાસે ઘૂસણખોરીનો પ્રયાસ થયો હતો. સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા હતા.
કાર્યવાહી દરમિયાન ત્રણ જવાન શહીદ થઈ ગયા અને એક જવાન ઘાયલ થયા છે. દરમિયાન, રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદે બીએસએફએ રવિવારે એક ઘુસણખોરને ઠાર માર્યો હતો.
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ રવિવારે બે અલગ અલગ અથડામણમાં 5 આતંકીઓને ઠાર માર્યા હતા. આ એન્કાઉન્ટર રાજૌરી અને કુલગામ જિલ્લામાં થયા હતા. કુલગામમાં અથડામણ પછી થયેલા વિસ્ફોટમાં છ નાગરિકનાં મોત પણ થઈ ગયા. રાજૌરીમાં ઘૂસણખોરી રોકવા દરમિયાન સેનાના ત્રણ જવાન પણ શહીદ થઈ ગયા છે. સેનાના પ્રવક્તા કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું કે, અંકુશરેખા પાસે ઘૂસણખોરીનો પ્રયાસ થયો હતો. સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા હતા.
કાર્યવાહી દરમિયાન ત્રણ જવાન શહીદ થઈ ગયા અને એક જવાન ઘાયલ થયા છે. દરમિયાન, રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદે બીએસએફએ રવિવારે એક ઘુસણખોરને ઠાર માર્યો હતો.