દિલ્હીથી ન્યૂયોર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ નંબર છ-૧૦૧ માટે ૧૧ સપ્ટેમ્બરનો દિવસ ગોઝારો પુરવાર થઈ શક્યો હોત પણ વિમાનનાં પાઇલટ્સની હિંમત અને એટીએસની સમયસૂચકતાને કારણે વિમાન દુર્ઘટનાગ્રસ્ત બનતા રહી ગયું અને ૩૭૦ પ્રવાસીઓનાં જીવ બચી ગયા હતા. અમે બહુ ખરાબ રીતે ફસાયા છીએ. વિમાનમાંથી ઈંઘણ ખલાસ થઈ રહ્યું છે અને સ્થિતિ ગંભીર બની રહી છે. એર ઈન્ડિયાના સિનિયર પાઇલટ્સ રુસ્તમ પાલિયાના આવા શબ્દોથી ન્યૂયોર્ક એરપોર્ટનાં એર ટ્રાફિક કન્ટ્રોલનાં હોશ ઊડી ગયા હતા. કેપ્ટન પાલિયા અને કેપ્ટન સુશાંતસિંહ દિલ્હીથી ન્યૂયોર્કની ફ્લાઇટ ઉડાડી રહ્યા હતા ત્યારે જ્હોન એફ કેનેડી એરપોર્ટ પર લેન્ડિંગ પહેલાં ખરાબી સર્જાઈ હતી અને ઈંધણ ખલાસ થવાની તૈયારીમાં હતું.
દિલ્હીથી ન્યૂયોર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ નંબર છ-૧૦૧ માટે ૧૧ સપ્ટેમ્બરનો દિવસ ગોઝારો પુરવાર થઈ શક્યો હોત પણ વિમાનનાં પાઇલટ્સની હિંમત અને એટીએસની સમયસૂચકતાને કારણે વિમાન દુર્ઘટનાગ્રસ્ત બનતા રહી ગયું અને ૩૭૦ પ્રવાસીઓનાં જીવ બચી ગયા હતા. અમે બહુ ખરાબ રીતે ફસાયા છીએ. વિમાનમાંથી ઈંઘણ ખલાસ થઈ રહ્યું છે અને સ્થિતિ ગંભીર બની રહી છે. એર ઈન્ડિયાના સિનિયર પાઇલટ્સ રુસ્તમ પાલિયાના આવા શબ્દોથી ન્યૂયોર્ક એરપોર્ટનાં એર ટ્રાફિક કન્ટ્રોલનાં હોશ ઊડી ગયા હતા. કેપ્ટન પાલિયા અને કેપ્ટન સુશાંતસિંહ દિલ્હીથી ન્યૂયોર્કની ફ્લાઇટ ઉડાડી રહ્યા હતા ત્યારે જ્હોન એફ કેનેડી એરપોર્ટ પર લેન્ડિંગ પહેલાં ખરાબી સર્જાઈ હતી અને ઈંધણ ખલાસ થવાની તૈયારીમાં હતું.