Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ગુજરાતના વન વિભાગના વડા જી.કે. સિંહાએ આજે મિડિયા સાથેની વાતચીતમાં સ્વીકાર્યું કે ગીર જંગલમાં 11 દિવસમાં 12 સિંહોના મોત થયા છે. વન વિભાગની પ્રાથમિક તપાસમાં એવું તારણ નિકળે છે કે 12માંથી મોટા ભાગના સિંહો ઇન ફાઇટીંગ એટલે કે એક સિંહના એરિયામાં બીજો સિંહ જેને બહારનો સિંહ કહેવાય છે તે ઘૂસી આવે ત્યારે પોતાના આધિપત્યને લઇને તેમની વચ્ચે ખૂંખાર લડાઇ થાય છે. તેમાં આ સિંહો માર્યા ગયા. કેટલાક બીજા એરિયામાં ગયા અને પશુ શિકાર કે ખોરાક ન મળતા નબળાઇ અને ત્યારબાદ બિમારીને કારણે માર્યા ગયા છે. તમામ સિંહોની વેટરનરી તપાસમાં તેમના પેટમાંથી ખોરાકના ટુકડા મળ્યા નથી. જે દર્શાવે છે કે લગભગ તમામ સિંહો ખોરાકના અભાવે ભૂખમરાથી મોતને ભેટ્યા છે. ગીર વિસ્તારમાં દર વર્ષે 210 સિંહો જન્મે છે, તેમાંથી 140 કુદરતી રીતે મૃત્યુ પામે છે. ઉપરાંત તેમનું આયુષ્ય વગેરેને લઇને કેટલાક ઉંમરને કારણે મૃત્યુ પામે છે. 2015માં સિંહોની વસ્તી ગણતરી વખતે 523 સિંહો નોંધાયા હતા. દર વર્ષે 60થી 70 નવા સિંહો ઉમેરાય છે. હવે પછી 2020માં સિંહોની વસ્તી હાથ ધરાશે.

  • ગુજરાતના વન વિભાગના વડા જી.કે. સિંહાએ આજે મિડિયા સાથેની વાતચીતમાં સ્વીકાર્યું કે ગીર જંગલમાં 11 દિવસમાં 12 સિંહોના મોત થયા છે. વન વિભાગની પ્રાથમિક તપાસમાં એવું તારણ નિકળે છે કે 12માંથી મોટા ભાગના સિંહો ઇન ફાઇટીંગ એટલે કે એક સિંહના એરિયામાં બીજો સિંહ જેને બહારનો સિંહ કહેવાય છે તે ઘૂસી આવે ત્યારે પોતાના આધિપત્યને લઇને તેમની વચ્ચે ખૂંખાર લડાઇ થાય છે. તેમાં આ સિંહો માર્યા ગયા. કેટલાક બીજા એરિયામાં ગયા અને પશુ શિકાર કે ખોરાક ન મળતા નબળાઇ અને ત્યારબાદ બિમારીને કારણે માર્યા ગયા છે. તમામ સિંહોની વેટરનરી તપાસમાં તેમના પેટમાંથી ખોરાકના ટુકડા મળ્યા નથી. જે દર્શાવે છે કે લગભગ તમામ સિંહો ખોરાકના અભાવે ભૂખમરાથી મોતને ભેટ્યા છે. ગીર વિસ્તારમાં દર વર્ષે 210 સિંહો જન્મે છે, તેમાંથી 140 કુદરતી રીતે મૃત્યુ પામે છે. ઉપરાંત તેમનું આયુષ્ય વગેરેને લઇને કેટલાક ઉંમરને કારણે મૃત્યુ પામે છે. 2015માં સિંહોની વસ્તી ગણતરી વખતે 523 સિંહો નોંધાયા હતા. દર વર્ષે 60થી 70 નવા સિંહો ઉમેરાય છે. હવે પછી 2020માં સિંહોની વસ્તી હાથ ધરાશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ