વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે, હવે ઉજ્જવલા યોજના અંતર્ગત તમામ ગરીબ પરિવારોને રાંધણગેસનું જોડાણ વિના મૂલ્યે આપવામાં આવશે. આ બાબતે કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, કેન્દ્રીય કેબિનેટની આર્થિક બાબતોની સમિતિએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભ એલપીજી જોડાણ નહીં ધરાવતા તમામ ગરીબ પરિવારો સુધી પહોંચાડવાને મંજૂરી આપી દીધી છે. આ પગલાંને કારણે દેશના ૧૦૦ ટકા પરિવારો સુધી એલપીજી કનેક્શન પહોંચાડવામાં મદદ મળી રહેશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે, હવે ઉજ્જવલા યોજના અંતર્ગત તમામ ગરીબ પરિવારોને રાંધણગેસનું જોડાણ વિના મૂલ્યે આપવામાં આવશે. આ બાબતે કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, કેન્દ્રીય કેબિનેટની આર્થિક બાબતોની સમિતિએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભ એલપીજી જોડાણ નહીં ધરાવતા તમામ ગરીબ પરિવારો સુધી પહોંચાડવાને મંજૂરી આપી દીધી છે. આ પગલાંને કારણે દેશના ૧૦૦ ટકા પરિવારો સુધી એલપીજી કનેક્શન પહોંચાડવામાં મદદ મળી રહેશે.