પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને રાષ્ટ્રીય સમ્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. તેમના દત્તક પુત્રી નમીતા ભટ્ટાચાર્યએ વાજપેયીના પાર્થીવ દેહને યમુના નદીના કાંઠે સ્થિત સ્મૃતિ સ્થળ પર મુખાગ્ની આપી હતી. ૯૩ વર્ષીય વાજપેયીના દેહને તેમના દિલ્હી સ્થિત નિવાસ સ્થાનેથી ભાજપ હેડક્વાર્ટર લઇ જવામાં આવ્યો હતો. ભાજપના હેડક્વાર્ટરથી ચાર કીમી દુર સ્મૃતિ સ્થળ પર બાદમાં તેમને લઇ જવામાં આવ્યા હતા. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ભાજપ તેમજ કોંગ્રેસના નેતાઓ પણ ચાર કીમી સુધી ચાલીને અંતીમ યાત્રામાં જોડાયા હતા. અંતે ભારતના મહાન નેતાઓમાં સામેલ વાજપેયી પંચતત્વમાં વિલિન થઇ ગયા.
પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને રાષ્ટ્રીય સમ્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. તેમના દત્તક પુત્રી નમીતા ભટ્ટાચાર્યએ વાજપેયીના પાર્થીવ દેહને યમુના નદીના કાંઠે સ્થિત સ્મૃતિ સ્થળ પર મુખાગ્ની આપી હતી. ૯૩ વર્ષીય વાજપેયીના દેહને તેમના દિલ્હી સ્થિત નિવાસ સ્થાનેથી ભાજપ હેડક્વાર્ટર લઇ જવામાં આવ્યો હતો. ભાજપના હેડક્વાર્ટરથી ચાર કીમી દુર સ્મૃતિ સ્થળ પર બાદમાં તેમને લઇ જવામાં આવ્યા હતા. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ભાજપ તેમજ કોંગ્રેસના નેતાઓ પણ ચાર કીમી સુધી ચાલીને અંતીમ યાત્રામાં જોડાયા હતા. અંતે ભારતના મહાન નેતાઓમાં સામેલ વાજપેયી પંચતત્વમાં વિલિન થઇ ગયા.