પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ સફાળા જાગેલા ભાજપે વધુ રાજકીય નુકસાન થતું અટકાવવા કોંગ્રેસની રાજ્ય સરકારોની જેમ ખેડૂતોના દેવાં માફ કરવાની શરૂઆત કરી દીધી છે. મંગળવારે આસામની ભાજપ સરકારે ખેડૂતોની રૂપિયા ૬૦૦ કરોડની લોન માફ કરવાની જાહેરાત કરી હતી. સર્વાનંદ સોનોવાલ સરકારની આ જાહેરાતનો આસામના આઠ લાખ ખેડૂતોને લાભ થશે. સોમવારે મોડી રાત્રે મુખ્યમંત્રી સોનોવાલના નેતૃત્વમાં યોજાયેલી આસામ કેબિનેટની બેઠકમાં રાજ્યના ખેડૂતોની રૂપિયા ૬૦૦ કરોડની કૃષિ લોન માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ સફાળા જાગેલા ભાજપે વધુ રાજકીય નુકસાન થતું અટકાવવા કોંગ્રેસની રાજ્ય સરકારોની જેમ ખેડૂતોના દેવાં માફ કરવાની શરૂઆત કરી દીધી છે. મંગળવારે આસામની ભાજપ સરકારે ખેડૂતોની રૂપિયા ૬૦૦ કરોડની લોન માફ કરવાની જાહેરાત કરી હતી. સર્વાનંદ સોનોવાલ સરકારની આ જાહેરાતનો આસામના આઠ લાખ ખેડૂતોને લાભ થશે. સોમવારે મોડી રાત્રે મુખ્યમંત્રી સોનોવાલના નેતૃત્વમાં યોજાયેલી આસામ કેબિનેટની બેઠકમાં રાજ્યના ખેડૂતોની રૂપિયા ૬૦૦ કરોડની કૃષિ લોન માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.