લોકસભામાં શુક્રવારે વિપક્ષ તરફથી અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલતી વખતે રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને ગળે લગાવ્યા હતા. આ ઘટના પર વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આ અંગે હવે ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પ્રતિક્રિયા આપી છે. સ્વામીએ PM મોદીને મેડિકલ તપાસ કરાવવાની સલાહ આપી છે. સ્વામીનું કહેવું છે કે, આ રીતે તો ઝેર પણ આપી શકાય છે.