-
ભાજપના અનેક નેતાઓ જેમને અનેરૂ માન સન્માન આપતા હતા તે બૌધ્ધિક ગણાતાં ભૈય્યુજી મહારાજ(સાચુ નામ ઉદયસિંહ દેશમુખ)ની આત્મહત્યાનું રહસ્ય તેમના એક સેવાદાર કૈલાશ પાટિલ ઉર્ફે ભાઉ દ્વારા જાહેર કરાયું છે. ભાઉને એક વકીલ પાસેથી પાંચ કરોડની ખંડણી માંગવાના આરોપમાં પોલીસે પકડ્યો ત્યારે તેણે ખુલાસો કર્યો કે ભૈય્યુજીને કેટલીક મહિલાઓ સાથે સંબંધો હતા. ભૈય્યુજીના આશ્રમની સાથે જોડાયેલી એક મહિલાએ 40 કરોડ રોકડા, મુંબઇમાં 4 બીએચકેનો ફલેટ, 40 લાખની કાર અને પોતાના માટે કોર્પોરેટ નોકરીની માંગણી કરીને પોતાની પાસે ઓડિયો-વિડિયો હોવાની ધમકી આપતી હતી. બે આઇએએસ મહિલાઓ સહિત સંખ્યાબંધ મહિલાઓ સાથે ભૈય્યુજીના સંબંધો હતા. બ્લેકમેલીંગની સતત ધમકી આપનાર મહિલાથી કંટાળીને તેમણે 12 જૂનના રોજ જાતે ગોળી મારીને આપઘાત કર્યો હતો. ભૈય્યુજી મહારાજ ભાજપના અનેક નેતાઓના માર્ગદર્શક હતા અને ધાર્મિક બાબતે સલાહ આપતા હતા એમ સૂત્રોએ જણાવ્યું હતું.
-
ભાજપના અનેક નેતાઓ જેમને અનેરૂ માન સન્માન આપતા હતા તે બૌધ્ધિક ગણાતાં ભૈય્યુજી મહારાજ(સાચુ નામ ઉદયસિંહ દેશમુખ)ની આત્મહત્યાનું રહસ્ય તેમના એક સેવાદાર કૈલાશ પાટિલ ઉર્ફે ભાઉ દ્વારા જાહેર કરાયું છે. ભાઉને એક વકીલ પાસેથી પાંચ કરોડની ખંડણી માંગવાના આરોપમાં પોલીસે પકડ્યો ત્યારે તેણે ખુલાસો કર્યો કે ભૈય્યુજીને કેટલીક મહિલાઓ સાથે સંબંધો હતા. ભૈય્યુજીના આશ્રમની સાથે જોડાયેલી એક મહિલાએ 40 કરોડ રોકડા, મુંબઇમાં 4 બીએચકેનો ફલેટ, 40 લાખની કાર અને પોતાના માટે કોર્પોરેટ નોકરીની માંગણી કરીને પોતાની પાસે ઓડિયો-વિડિયો હોવાની ધમકી આપતી હતી. બે આઇએએસ મહિલાઓ સહિત સંખ્યાબંધ મહિલાઓ સાથે ભૈય્યુજીના સંબંધો હતા. બ્લેકમેલીંગની સતત ધમકી આપનાર મહિલાથી કંટાળીને તેમણે 12 જૂનના રોજ જાતે ગોળી મારીને આપઘાત કર્યો હતો. ભૈય્યુજી મહારાજ ભાજપના અનેક નેતાઓના માર્ગદર્શક હતા અને ધાર્મિક બાબતે સલાહ આપતા હતા એમ સૂત્રોએ જણાવ્યું હતું.