-
પંજાબના મુખ્ય શહેર અમૃતસરની નજીકના રાજાસાંસી ગામમાં નિરંકારી ભવનમાં ધાર્મિક કાર્યક્રમ દરમ્યાન બાઇક સવાર પર આવેલાઓએ હેન્ડ ગ્રેનેડ બોંબ ફેંકીને ભાગી છૂટ્યા હતા. આ હુમલામાં હાલમાં 3 જણાનાં મોત અને 10ને ઇજા પહોંચી હોવાના અહેવાલ છે. સૂત્રો તેને આતંકી હુમલો માની રહ્યાં છે. નોંધનીય છે કે પંજાબના ગુરદાસપુરમાં કેટલાક આતંકીઓ ઘૂસીને એક કાર લઇને ભાગી છૂટ્યા હતા. તેને લઇને પંજાબમાં આતંકી હુમલાની આશંકા દર્શાવવામાં આવી રહી હતી. નિરંકારી ભવન પરના હુમલો આતંકી હુમલો જ હોવાનું મનાઇ રહ્યું છે. અમૃતસરમાં આતંકી હજરત મૂસાની હલચલની બાતમી પોલીસને મળી હતી. તેણે જ આ હુમલો કરાવ્યાંની ચર્ચા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
-
પંજાબના મુખ્ય શહેર અમૃતસરની નજીકના રાજાસાંસી ગામમાં નિરંકારી ભવનમાં ધાર્મિક કાર્યક્રમ દરમ્યાન બાઇક સવાર પર આવેલાઓએ હેન્ડ ગ્રેનેડ બોંબ ફેંકીને ભાગી છૂટ્યા હતા. આ હુમલામાં હાલમાં 3 જણાનાં મોત અને 10ને ઇજા પહોંચી હોવાના અહેવાલ છે. સૂત્રો તેને આતંકી હુમલો માની રહ્યાં છે. નોંધનીય છે કે પંજાબના ગુરદાસપુરમાં કેટલાક આતંકીઓ ઘૂસીને એક કાર લઇને ભાગી છૂટ્યા હતા. તેને લઇને પંજાબમાં આતંકી હુમલાની આશંકા દર્શાવવામાં આવી રહી હતી. નિરંકારી ભવન પરના હુમલો આતંકી હુમલો જ હોવાનું મનાઇ રહ્યું છે. અમૃતસરમાં આતંકી હજરત મૂસાની હલચલની બાતમી પોલીસને મળી હતી. તેણે જ આ હુમલો કરાવ્યાંની ચર્ચા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.