સીબીઆઈમાં જામેલું ઘમાસાણ જાણી અટકવાનું નામ જ નથી લઈ રહ્યું. હવે આ વિવાદની ઝાળ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને કેન્દ્રીય મંત્રી સુધી પહોંચી છે. સીબીઆઈમાં ડીઆઈજી રેંકના અધિકારીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ સરકારની દખલગીરીના ગંભીર આરોપો પણ લગાવ્યા છે.
સીબીઆઈમાં ડીઆઈજી રેંકના અધિકારી મનીષ કુમાર સિન્હાએ પોતાની નાગપુર બદલીને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. સિન્હાએ તપાસ એજંસીમાં સરકારની દખલગીરીના ગંભીર કહી શકાય તે પ્રકારના આરોપ લગાવ્યા છે.
સિન્હા માંસના વ્યાપારી મોઈન કુરૈશી કેસમાં અસ્થાના પર 2.95 કરોડ રૂપિયાની લાંચ લેવાના આરોપોની તપાસ કરી રહ્યાં હતાં. આ કેસમાં સિન્હાએ આરોપ લગાવ્યો છે આ તપાસમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોવાલે બે વાર તપાસ અભિયાન અટકાવવાના નિર્દેશ આપ્યાં હતાં. સિન્હાએ કહ્યું છે કે, અસ્થાના વિરૂદ્ધ ફરિયાદ કરનારા હૈદરાબાદના સતીશ બાબૂ સનાએ તેમને એ પણ જણાવ્યું હતું કે ગુજરાતના સાંસદ અને વર્તમાન કોલસા અને ખાણ રાજ્ય મંત્રી હરિભાઈ પાર્થીભાઈ ચૌધરીને પણ લાંચ આપવામાં આવી હતી. આ ઉપરાંત સિન્હાએ સેન્ટલ વિજિલંસ કમિશ્નર (CVC) પર પણ દખલગીરીનો આરોપ લગાવ્યો છે.
સીબીઆઈમાં જામેલું ઘમાસાણ જાણી અટકવાનું નામ જ નથી લઈ રહ્યું. હવે આ વિવાદની ઝાળ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને કેન્દ્રીય મંત્રી સુધી પહોંચી છે. સીબીઆઈમાં ડીઆઈજી રેંકના અધિકારીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ સરકારની દખલગીરીના ગંભીર આરોપો પણ લગાવ્યા છે.
સીબીઆઈમાં ડીઆઈજી રેંકના અધિકારી મનીષ કુમાર સિન્હાએ પોતાની નાગપુર બદલીને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. સિન્હાએ તપાસ એજંસીમાં સરકારની દખલગીરીના ગંભીર કહી શકાય તે પ્રકારના આરોપ લગાવ્યા છે.
સિન્હા માંસના વ્યાપારી મોઈન કુરૈશી કેસમાં અસ્થાના પર 2.95 કરોડ રૂપિયાની લાંચ લેવાના આરોપોની તપાસ કરી રહ્યાં હતાં. આ કેસમાં સિન્હાએ આરોપ લગાવ્યો છે આ તપાસમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોવાલે બે વાર તપાસ અભિયાન અટકાવવાના નિર્દેશ આપ્યાં હતાં. સિન્હાએ કહ્યું છે કે, અસ્થાના વિરૂદ્ધ ફરિયાદ કરનારા હૈદરાબાદના સતીશ બાબૂ સનાએ તેમને એ પણ જણાવ્યું હતું કે ગુજરાતના સાંસદ અને વર્તમાન કોલસા અને ખાણ રાજ્ય મંત્રી હરિભાઈ પાર્થીભાઈ ચૌધરીને પણ લાંચ આપવામાં આવી હતી. આ ઉપરાંત સિન્હાએ સેન્ટલ વિજિલંસ કમિશ્નર (CVC) પર પણ દખલગીરીનો આરોપ લગાવ્યો છે.