-
દેશમાં એક નવો ખતરનાક ખેલ કે વલણ શરૂ થયું છે. કોર્ટ દ્વારા પોતાની તરફેણમાં ચુકાદો ના આવે ત્યારે જજોને બદનામ કરવાની એક નવી અને ખતરનાક પ્રવૃતિ શરૂ થઇ છે. તેના કારણે ન્યાયતંત્રમાં યુવા મેરીટવાળા વકીલો જજ બનવા તૈયાર થતા નથી. આ મહત્વની વાત કોઇ અન્ય નહીં પણ ભારતની સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ(સીજેઆઇ) જસ્ટીસ રંજન ગોગોઇએ કરી છે. એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં તેમણે દુઃખ સાથે કહ્યું કે પોતાના મનગમતા ચુકાદા ના આવે એટલે જજો પર કાદવ ઉછાળવામાં આવે છે. જજોને નિશાન બનાવવામાં આવે છે. તેની આડ નહીં પણ સીધી અસર એ થઇ કે યુવા વકીલો ન્યાયતંત્રમાં આવવા તૈયાર થતાં નથી. આ યુવાઓ કહે છે કે અમે સારૂ રળી રહ્યાં છીએ. અને જજ બનીએ અને લોકો કિચડ ઉછાળે એટલે..? સીજેએ કહ્યું કે જો આવુ જ ચાલશે તો ન્યાયતંત્રમાં કોઇ સારા લોકો નહીં આવે. તમને ગુસ્સો કેમ આવે છે એવા એક સવાલના જવાબમાં તેમણે માર્મિક રીતે કહ્યું કે હું કાંઇ નેતા કે ડિપ્લોમેટ નથી કે હસતો રહે. હું બધાને ખુશ ના કરી શકું. સીજેએ ખૂબ ગંભીર બાબત તરફ દેશ અને સમાજનું ધ્યાન દોરીને વાસ્તવિક્તા દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.
-
દેશમાં એક નવો ખતરનાક ખેલ કે વલણ શરૂ થયું છે. કોર્ટ દ્વારા પોતાની તરફેણમાં ચુકાદો ના આવે ત્યારે જજોને બદનામ કરવાની એક નવી અને ખતરનાક પ્રવૃતિ શરૂ થઇ છે. તેના કારણે ન્યાયતંત્રમાં યુવા મેરીટવાળા વકીલો જજ બનવા તૈયાર થતા નથી. આ મહત્વની વાત કોઇ અન્ય નહીં પણ ભારતની સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ(સીજેઆઇ) જસ્ટીસ રંજન ગોગોઇએ કરી છે. એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં તેમણે દુઃખ સાથે કહ્યું કે પોતાના મનગમતા ચુકાદા ના આવે એટલે જજો પર કાદવ ઉછાળવામાં આવે છે. જજોને નિશાન બનાવવામાં આવે છે. તેની આડ નહીં પણ સીધી અસર એ થઇ કે યુવા વકીલો ન્યાયતંત્રમાં આવવા તૈયાર થતાં નથી. આ યુવાઓ કહે છે કે અમે સારૂ રળી રહ્યાં છીએ. અને જજ બનીએ અને લોકો કિચડ ઉછાળે એટલે..? સીજેએ કહ્યું કે જો આવુ જ ચાલશે તો ન્યાયતંત્રમાં કોઇ સારા લોકો નહીં આવે. તમને ગુસ્સો કેમ આવે છે એવા એક સવાલના જવાબમાં તેમણે માર્મિક રીતે કહ્યું કે હું કાંઇ નેતા કે ડિપ્લોમેટ નથી કે હસતો રહે. હું બધાને ખુશ ના કરી શકું. સીજેએ ખૂબ ગંભીર બાબત તરફ દેશ અને સમાજનું ધ્યાન દોરીને વાસ્તવિક્તા દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.