રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે એક્સાઇઝ વિભાગના અધિકારીઓને આદેશ આપ્યો છે કે જે લોકો રાત્રે આઠ વાગ્યા પછી દારૂ વેચતાં ઝડપાય તેમને દંડ કરવામાં આવશે. હવે રાજસ્થાનમાં રાત્રે આઠ પછી દારૂ વેચનારી દુકાનોને સીલ કરવામાં આવશે અને તેમના લાઇસન્સ પણ રદ કરવામાં આવશે. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે શનિવારે રાજ્યમાં તમામ દુકાનો પર રાત્રે આઠ પછી દારૂનું વેચાણ બંધ કરવાના કડક આદેશ આપ્યા હતા. મુખ્ય પ્રધાનની ઓફિસમાં એક્સાઇઝ ખાતાના સિનિયર અધિકારીઓની બેઠકને સંબોધતાં મુખ્ય પ્રધાન ગેહલોતે જણાવ્યું હતું કે ૨૦૦૮માં અમારી સરકારે રાજ્યમાં રાત્રે આઠ બાદ દારૂના વેચાણ પર પાબંદી મૂકવાનો આવો જ નીતિ વિષયક નિર્ણય લીધો હતો. જેને કારણે સમાજને એક હકારાત્મક સંદેશ મળ્યો હતો.
રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે એક્સાઇઝ વિભાગના અધિકારીઓને આદેશ આપ્યો છે કે જે લોકો રાત્રે આઠ વાગ્યા પછી દારૂ વેચતાં ઝડપાય તેમને દંડ કરવામાં આવશે. હવે રાજસ્થાનમાં રાત્રે આઠ પછી દારૂ વેચનારી દુકાનોને સીલ કરવામાં આવશે અને તેમના લાઇસન્સ પણ રદ કરવામાં આવશે. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે શનિવારે રાજ્યમાં તમામ દુકાનો પર રાત્રે આઠ પછી દારૂનું વેચાણ બંધ કરવાના કડક આદેશ આપ્યા હતા. મુખ્ય પ્રધાનની ઓફિસમાં એક્સાઇઝ ખાતાના સિનિયર અધિકારીઓની બેઠકને સંબોધતાં મુખ્ય પ્રધાન ગેહલોતે જણાવ્યું હતું કે ૨૦૦૮માં અમારી સરકારે રાજ્યમાં રાત્રે આઠ બાદ દારૂના વેચાણ પર પાબંદી મૂકવાનો આવો જ નીતિ વિષયક નિર્ણય લીધો હતો. જેને કારણે સમાજને એક હકારાત્મક સંદેશ મળ્યો હતો.