-
વિપક્ષ કોંગ્રેસે આજે કેટલાક દસ્તાવેજો સાથે કેન્દ્રના નાણામંત્રી અરૂણ જેટલીની દિકરી સોનાલી જેટલી અને તેમના જમાઇને નિરવ મોદીના કાકા મેહુલ ચોકસીએ કેસ માટે રાખ્યા હતા. મેહુલે સોનાલી વગેરે.ના ખાતામાં 24 લાખ જમા કરાવ્યાં હતા. પરંતુ મેહુલ બેંકોના કરોડો રૂપિયા ડૂબાડીને ભારતમાંથી ભાગી ગયા બાદ નાણામંત્રીની દિકરી અને જમાઇએ આ પૈસા મેહુલ ચોકસીને એમ કહીને પાછા આપ્યા કે અમે તમારૂ કોઇ કામ કર્યું નથી. આ 24 લાખ કયા કામ માટે આપવામાં આવ્યાં અને શું નાણામંત્રી જેટલીને તેની જાણ કરાઇ હતી...? મેહુલ ભાગી ગયા બાદ આ પૈસા ખરેખર બેંકોની વસૂલાત માટે સરકારમાં જમા કરાવવાને બદલે મેહુલને કેમ પાછા આપવામાં આવ્યાં તેવા સવાલો કોંગ્રેસના નેતા સચીન પાયલોટ અને રાજીવ સાતવે કર્યા છે. તેમણે બેંક સ્ટેટમેન્ટની નકલો પણ મિડિયાને દર્શાવી હતી.
-
વિપક્ષ કોંગ્રેસે આજે કેટલાક દસ્તાવેજો સાથે કેન્દ્રના નાણામંત્રી અરૂણ જેટલીની દિકરી સોનાલી જેટલી અને તેમના જમાઇને નિરવ મોદીના કાકા મેહુલ ચોકસીએ કેસ માટે રાખ્યા હતા. મેહુલે સોનાલી વગેરે.ના ખાતામાં 24 લાખ જમા કરાવ્યાં હતા. પરંતુ મેહુલ બેંકોના કરોડો રૂપિયા ડૂબાડીને ભારતમાંથી ભાગી ગયા બાદ નાણામંત્રીની દિકરી અને જમાઇએ આ પૈસા મેહુલ ચોકસીને એમ કહીને પાછા આપ્યા કે અમે તમારૂ કોઇ કામ કર્યું નથી. આ 24 લાખ કયા કામ માટે આપવામાં આવ્યાં અને શું નાણામંત્રી જેટલીને તેની જાણ કરાઇ હતી...? મેહુલ ભાગી ગયા બાદ આ પૈસા ખરેખર બેંકોની વસૂલાત માટે સરકારમાં જમા કરાવવાને બદલે મેહુલને કેમ પાછા આપવામાં આવ્યાં તેવા સવાલો કોંગ્રેસના નેતા સચીન પાયલોટ અને રાજીવ સાતવે કર્યા છે. તેમણે બેંક સ્ટેટમેન્ટની નકલો પણ મિડિયાને દર્શાવી હતી.