સાંઈ સમાધિના શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે શિરડી પહોંચ્યા હતા. તેમણે ગરીબો માટે આવાસ યોજના રજૂ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. વડા પ્રધાને જણાવ્યું કે આગલી સરકારે ચાર વર્ષમાં ગરીબો માટે ૨૫ લાખ ઘરો બાંધ્યા હતા જ્યારે તેમની સરકારે આટલા જ સમયમાં ૧ કરોડ ૨૫ લાખ ઘર બાંધ્યા છે. જે ઝડપે આગલી સરકાર કાર્યો કરતી હતી એ ઝડપે એને અહીં સુધી પહોંચતા હજી ૨૦ વર્ષ લાગત. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાંઈ મંદિરમાં પૂજા-અર્ચના બાદ શિરડીમાં નવીઇમારત, ૧૫૯ કરોડના ખર્ચે બનેલા વિશાળ શૈક્ષણિક ભવન, પ્લેનેટોરિયમ, વેક્સ મ્યુઝિયમ, સાંઈ ઉદ્યાન અને થીમ પાર્ક સહિત અન્ય મુખ્ય પરિયોજનાઓનું લોકાર્પણ અને ભૂમિપૂજન પણ કર્યું. વડા પ્રધાને રાજ્યના ૨૯ જિલ્લામાં આવાસ યોજના અંતર્ગત ઘરોનું ઈ-વિતરણ કર્યું.
સાંઈ સમાધિના શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે શિરડી પહોંચ્યા હતા. તેમણે ગરીબો માટે આવાસ યોજના રજૂ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. વડા પ્રધાને જણાવ્યું કે આગલી સરકારે ચાર વર્ષમાં ગરીબો માટે ૨૫ લાખ ઘરો બાંધ્યા હતા જ્યારે તેમની સરકારે આટલા જ સમયમાં ૧ કરોડ ૨૫ લાખ ઘર બાંધ્યા છે. જે ઝડપે આગલી સરકાર કાર્યો કરતી હતી એ ઝડપે એને અહીં સુધી પહોંચતા હજી ૨૦ વર્ષ લાગત. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાંઈ મંદિરમાં પૂજા-અર્ચના બાદ શિરડીમાં નવીઇમારત, ૧૫૯ કરોડના ખર્ચે બનેલા વિશાળ શૈક્ષણિક ભવન, પ્લેનેટોરિયમ, વેક્સ મ્યુઝિયમ, સાંઈ ઉદ્યાન અને થીમ પાર્ક સહિત અન્ય મુખ્ય પરિયોજનાઓનું લોકાર્પણ અને ભૂમિપૂજન પણ કર્યું. વડા પ્રધાને રાજ્યના ૨૯ જિલ્લામાં આવાસ યોજના અંતર્ગત ઘરોનું ઈ-વિતરણ કર્યું.