૧૯૮૪માં તત્કાલીન પીએમ ઇંદિરા ગાંધીની હત્યા પછી ૧૯૮૪માં થયેલાં શીખ રમખાણોને લગતા એક મહત્ત્વના ચુકાદામાં દિલ્હી હાઇકોર્ટે કોંગ્રેસનેતા સજ્જનકુમારને દોષિત ઠરાવ્યા છે. તેમને ઉમરકેદની સજા કરાઈ છે. કોર્ટે તેમને ૩૧ ડિસેમ્બર સુધીમાં સરન્ડર થવાનો આદેશ કર્યો છે. અગાઉ નીચલી કોર્ટે તેમને આ કેસમાં નિર્દોષ ઠરાવ્યા હતા. ૩૪ વર્ષ પછી હાઇકોર્ટે આ ચુકાદામાં તેમને દોષિત ઠરાવતાં કોગ્રેસના નેતાને ઝટકો લાગ્યો છે. દેશનાં ૩ રાજ્યોમાં કોંગ્રેસના નેતાઓ શપથ લઈને સરકાર રચી રહ્યા છે ત્યારે જ હાઇકોર્ટના આ ચુકાદાએ કોંગ્રેસને ઝટકો આપ્યો છે, જે કાંગ્રેસની મુશ્કેલી વધારી શકે છે. કોંગ્રેસના અન્ય નેતાઓ જગદીશ ટાઇટલર અને કમલનાથ સામે પ્રશ્નો સર્જાઈ શકે છે.
૧૯૮૪માં તત્કાલીન પીએમ ઇંદિરા ગાંધીની હત્યા પછી ૧૯૮૪માં થયેલાં શીખ રમખાણોને લગતા એક મહત્ત્વના ચુકાદામાં દિલ્હી હાઇકોર્ટે કોંગ્રેસનેતા સજ્જનકુમારને દોષિત ઠરાવ્યા છે. તેમને ઉમરકેદની સજા કરાઈ છે. કોર્ટે તેમને ૩૧ ડિસેમ્બર સુધીમાં સરન્ડર થવાનો આદેશ કર્યો છે. અગાઉ નીચલી કોર્ટે તેમને આ કેસમાં નિર્દોષ ઠરાવ્યા હતા. ૩૪ વર્ષ પછી હાઇકોર્ટે આ ચુકાદામાં તેમને દોષિત ઠરાવતાં કોગ્રેસના નેતાને ઝટકો લાગ્યો છે. દેશનાં ૩ રાજ્યોમાં કોંગ્રેસના નેતાઓ શપથ લઈને સરકાર રચી રહ્યા છે ત્યારે જ હાઇકોર્ટના આ ચુકાદાએ કોંગ્રેસને ઝટકો આપ્યો છે, જે કાંગ્રેસની મુશ્કેલી વધારી શકે છે. કોંગ્રેસના અન્ય નેતાઓ જગદીશ ટાઇટલર અને કમલનાથ સામે પ્રશ્નો સર્જાઈ શકે છે.