રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની દિલ્હી ખાતે ત્રિદિવસીય મંથન શિબિરનો સોમવારથી પ્રારંભ થયો હતો. આ કાર્યક્રમમાં દેશભરની જાણીતી વ્યક્તિઓ પહોંચી હતી. ભવિષ્યનો ભારત : આરએસએસના દૃષ્ટિકોણ હેઠળ યોજાયેલી ત્રિદિવસીય શિબિરમાં વિવિધ મુદ્દે ભારતનિર્માણની રૂપરેખા રજૂ કરવામાં આવશે. સોમવારે યોજાયેલી પહેલા દિવસની બેઠકમાં સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે, કોંગ્રેસે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. કોંગ્રેસે દેશને ઘણા મોટા નેતાઓની ભેટ આપી છે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની દિલ્હી ખાતે ત્રિદિવસીય મંથન શિબિરનો સોમવારથી પ્રારંભ થયો હતો. આ કાર્યક્રમમાં દેશભરની જાણીતી વ્યક્તિઓ પહોંચી હતી. ભવિષ્યનો ભારત : આરએસએસના દૃષ્ટિકોણ હેઠળ યોજાયેલી ત્રિદિવસીય શિબિરમાં વિવિધ મુદ્દે ભારતનિર્માણની રૂપરેખા રજૂ કરવામાં આવશે. સોમવારે યોજાયેલી પહેલા દિવસની બેઠકમાં સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે, કોંગ્રેસે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. કોંગ્રેસે દેશને ઘણા મોટા નેતાઓની ભેટ આપી છે.