રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં રેલીને સંબોધવા કોંગ્રેસઅધ્યક્ષ રાહુલ ગાંધી મેવાડના ડુંગરપુર ખાતે સાગવાડા ગયા હતા. રાહુલે પબ્લિક તેમજ કોંગ્રેસ કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે, રાજસ્થાનમાં ચૂંટણી કયા ઉમેદવાર લડશે તે કાર્યકરો દ્વારા નક્કી કરવામાં આવશે. ચૂંટણીની ટિકિટો કોંગ્રેસના કાર્યકરો દ્વારા ફાળવવામાં આવશે. જે લોકો પક્ષપલટો કરીને ચૂંટણીની ટિકિટ મેળવવાના ઇરાદે કોંગ્રેસમાં આવશે તેવા પેરાશૂટ ઉમેદવારોની ટિકિટ હું કાપી નાખીશ. રાહુલે કહ્યું કે લાઠી અને દંડા ખાનારા કોંગ્રેસના કાર્યકરો એ પાર્ટીની કરોડરજ્જુ છે. કાર્યકરો લાઠી-દંડા ખાય અને પછી રાતોરાત કોઈ પેરાશૂટ દ્વારા આવીને ટિકિટ લઈ જાય તેવું ચલાવી લેવાશે નહીં.
રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં રેલીને સંબોધવા કોંગ્રેસઅધ્યક્ષ રાહુલ ગાંધી મેવાડના ડુંગરપુર ખાતે સાગવાડા ગયા હતા. રાહુલે પબ્લિક તેમજ કોંગ્રેસ કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે, રાજસ્થાનમાં ચૂંટણી કયા ઉમેદવાર લડશે તે કાર્યકરો દ્વારા નક્કી કરવામાં આવશે. ચૂંટણીની ટિકિટો કોંગ્રેસના કાર્યકરો દ્વારા ફાળવવામાં આવશે. જે લોકો પક્ષપલટો કરીને ચૂંટણીની ટિકિટ મેળવવાના ઇરાદે કોંગ્રેસમાં આવશે તેવા પેરાશૂટ ઉમેદવારોની ટિકિટ હું કાપી નાખીશ. રાહુલે કહ્યું કે લાઠી અને દંડા ખાનારા કોંગ્રેસના કાર્યકરો એ પાર્ટીની કરોડરજ્જુ છે. કાર્યકરો લાઠી-દંડા ખાય અને પછી રાતોરાત કોઈ પેરાશૂટ દ્વારા આવીને ટિકિટ લઈ જાય તેવું ચલાવી લેવાશે નહીં.