કેન્દ્ર અને RBI વચ્ચે બેન્કોની એનપીએ, ઉદ્યોગોને લોનસ્વરૂપે નાણાંની સરળ પ્રાપ્તિ, બજારમાં નાણાંની તરલતા અને નાણાબજારમાં રોકડપ્રવાહની જાળવણીના મામલે મતભેદો સર્જાયા છે અને સામસામે તલવારો તણાઈ છે ત્યારે નાણાપ્રધાન જેટલીએ આરબીઆઈની કેટલીક નીતિની આકરી ટીકા કરી છે. જેટલીએ કહ્યું છે કે બજારમાં ક્રેડિટ ફ્લોની અછતથી દેશના આર્થિક વિકાસનું ગળું ઘોંટાવું જોઈએ નહીં. સોમવારે આરબીઆઈનાં બોર્ડની મહત્ત્વના મુદ્દા ચર્ચવા બેઠક મળી રહી છે તે સંદર્ભમાં જેટલીની ટિપ્પણી સૂચક છે. જેટલીએ કહ્યું કે, ક્રેડિટ ફ્લો, નાણાંની તરલતા અને લોનની ઉદ્યોગોને સરળ પ્રાપ્તિના અભાવે વિકાસની ગતિ રૂંધાવી જોઈએ નહીં.
કેન્દ્ર અને RBI વચ્ચે બેન્કોની એનપીએ, ઉદ્યોગોને લોનસ્વરૂપે નાણાંની સરળ પ્રાપ્તિ, બજારમાં નાણાંની તરલતા અને નાણાબજારમાં રોકડપ્રવાહની જાળવણીના મામલે મતભેદો સર્જાયા છે અને સામસામે તલવારો તણાઈ છે ત્યારે નાણાપ્રધાન જેટલીએ આરબીઆઈની કેટલીક નીતિની આકરી ટીકા કરી છે. જેટલીએ કહ્યું છે કે બજારમાં ક્રેડિટ ફ્લોની અછતથી દેશના આર્થિક વિકાસનું ગળું ઘોંટાવું જોઈએ નહીં. સોમવારે આરબીઆઈનાં બોર્ડની મહત્ત્વના મુદ્દા ચર્ચવા બેઠક મળી રહી છે તે સંદર્ભમાં જેટલીની ટિપ્પણી સૂચક છે. જેટલીએ કહ્યું કે, ક્રેડિટ ફ્લો, નાણાંની તરલતા અને લોનની ઉદ્યોગોને સરળ પ્રાપ્તિના અભાવે વિકાસની ગતિ રૂંધાવી જોઈએ નહીં.