ઇન્ડોનેશિયામાં શુક્રવારે શક્તિશાળી ભૂકંપ પછી સુલાવેસી દ્વીપ પર પાલુ શહેરમાં ત્સુમાનીને કારણે 48થી વધારે લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ઇન્ડોનેશિયાની ભૌગોલિક સ્થિતિને કારણે હંમેશા ભૂકંપનો ખતરો રહે છે. વર્ષ ૨૦૦૪, ડીસેમ્બરમાં પશ્ચિમ ઇન્ડોનેશિયામાં સુમાત્રામાં ૯.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેના લીધે ત્સુનામીમાં હિંદ મહાસાગરના ઘણા ક્ષેત્રોમાં આવેલા દેશમાં ૨ લાખથી પણ વધારે લોકોના મૃત્યુ થયા હતા.