મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ખેડૂતોના દેવાંમાફીની જાહેરાત પર જોશમાં આવેલા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મંગળવારે નરેન્દ્ર મોદી સરકારને દેશભરના ખેડૂતોના દેવાં માફ કરવાનો પડકાર ફેંક્યો હતો. તેમણે સંસદ પહોંચતાની સાથે જ જણાવ્યું હતું કે, જોયું તમે? કામ શરૂ થઇ ગયું છે. સરકારે અનિલ અંબાણી સહિતના ૧૫ ટોચના ઉદ્યોગપતિઓના રૂપિયા ૩.૫ લાખ કરોડના દેવાં માફ કરી દીધાં પરંતુ ખેડૂતોના દેવાં પર આંખ આડા કાન કરી રહી છે. અમે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં સરકારની રચનાના થોડા જ કલાકોમાં બંને રાજ્યોના ખેડૂતોના દેવાં માફ કરી દીધાં છે.
મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ખેડૂતોના દેવાંમાફીની જાહેરાત પર જોશમાં આવેલા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મંગળવારે નરેન્દ્ર મોદી સરકારને દેશભરના ખેડૂતોના દેવાં માફ કરવાનો પડકાર ફેંક્યો હતો. તેમણે સંસદ પહોંચતાની સાથે જ જણાવ્યું હતું કે, જોયું તમે? કામ શરૂ થઇ ગયું છે. સરકારે અનિલ અંબાણી સહિતના ૧૫ ટોચના ઉદ્યોગપતિઓના રૂપિયા ૩.૫ લાખ કરોડના દેવાં માફ કરી દીધાં પરંતુ ખેડૂતોના દેવાં પર આંખ આડા કાન કરી રહી છે. અમે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં સરકારની રચનાના થોડા જ કલાકોમાં બંને રાજ્યોના ખેડૂતોના દેવાં માફ કરી દીધાં છે.