સંસદનું શિયાળુ સત્ર શરૂ થવાના બે દિવસ પહેલાં રવિવારે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા દિલ્હીનાં રામલીલા મેદાન ખાતે જંગી ધર્મસભાનું આયોજન કરાયું હતું. રેલીને સંબોધન કરતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ સુરેશ ભૈયાજી જોશીએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામમંદિરનાં નિર્માણ માટે કાયદો એકમાત્ર વિકલ્પ છે. મોદી સરકાર પર લોકસભાની ચૂંટણી પહેલાં રામમંદિર નિર્માણ માટે વટહુકમ જારી કરવા દબાણ લાવવાના પ્રયાસરૂપે આયોજિત રેલીમાં જોશીએ મોદી સરકારને અલ્ટિમેટમ આપતાં જણાવ્યું હતું કે, અમે રામમંદિર માટે ભીખ માગી રહ્યા નથી. સરકારે કાયદો બનાવવો જોઈએ.
સંસદનું શિયાળુ સત્ર શરૂ થવાના બે દિવસ પહેલાં રવિવારે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા દિલ્હીનાં રામલીલા મેદાન ખાતે જંગી ધર્મસભાનું આયોજન કરાયું હતું. રેલીને સંબોધન કરતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ સુરેશ ભૈયાજી જોશીએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામમંદિરનાં નિર્માણ માટે કાયદો એકમાત્ર વિકલ્પ છે. મોદી સરકાર પર લોકસભાની ચૂંટણી પહેલાં રામમંદિર નિર્માણ માટે વટહુકમ જારી કરવા દબાણ લાવવાના પ્રયાસરૂપે આયોજિત રેલીમાં જોશીએ મોદી સરકારને અલ્ટિમેટમ આપતાં જણાવ્યું હતું કે, અમે રામમંદિર માટે ભીખ માગી રહ્યા નથી. સરકારે કાયદો બનાવવો જોઈએ.