ફ્રાન્સ પાસેથી રાફેલ જેટ ફાઇટર ખરીદવાનાં મામલે દેશમાં વિવાદ જાગ્યો છે અને સરકારે સુપ્રીમ કોર્ટમાં રાફેલ સોદાની અને વિમાનોની કિંમતની વિગતો રજૂ કરી છે ત્યારે વિમાન બનાવનાર કંપની દસોલ્ટનાં સીઈઓ એરિક ટ્રેપિયરે આ સોદામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીનાં આક્ષેપોને ફગાવ્યા છે.
ટ્રેપિયરે એક ઇન્ટરવ્યૂમાં સોદા અંગે રાહુલે કરેલા તમામ આક્ષેપો ખોટા ગણાવ્યા હતા. ટ્રેપિયરે દાવો કર્યો હતો કે હું જુઠ્ઠું નથી બોલતો, મેં પહેલા જે કહ્યું હતું અને અત્યારે જે કહી રહ્યો છું તે સત્ય છે. ફ્રાન્સનાં પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાસ્વા ઓલાન્દેએ આ મામલે કરેલું નિવેદન ખોટું હોવાની તેમણે સ્પષ્ટતા કરી હતી.
ફ્રાન્સ પાસેથી રાફેલ જેટ ફાઇટર ખરીદવાનાં મામલે દેશમાં વિવાદ જાગ્યો છે અને સરકારે સુપ્રીમ કોર્ટમાં રાફેલ સોદાની અને વિમાનોની કિંમતની વિગતો રજૂ કરી છે ત્યારે વિમાન બનાવનાર કંપની દસોલ્ટનાં સીઈઓ એરિક ટ્રેપિયરે આ સોદામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીનાં આક્ષેપોને ફગાવ્યા છે.
ટ્રેપિયરે એક ઇન્ટરવ્યૂમાં સોદા અંગે રાહુલે કરેલા તમામ આક્ષેપો ખોટા ગણાવ્યા હતા. ટ્રેપિયરે દાવો કર્યો હતો કે હું જુઠ્ઠું નથી બોલતો, મેં પહેલા જે કહ્યું હતું અને અત્યારે જે કહી રહ્યો છું તે સત્ય છે. ફ્રાન્સનાં પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાસ્વા ઓલાન્દેએ આ મામલે કરેલું નિવેદન ખોટું હોવાની તેમણે સ્પષ્ટતા કરી હતી.