-
ભાજપના નેતાઓ મૌનીબાબા કહીને જેમની રાજકીય ઠેકડી ઉડાડતા હતા તે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંગે આજે મિડિયા સાથે વાત નહીં કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિન્દી ટીવી ચેનલોની ભાષામાં કહીએ તો કરારા જવાબ આપ્યો છે. મનમોહને કહ્યું કે તેઓ પોતે વડાપ્રધાન તા ત્યારે સરળતાથી મિડિયા સાથે વાત કરતાં હતા. મને ક્યારેય મિડિયા સાથે વાતચીત કરતાં બીક લાગી નથી. મોદીને શેનો ડર લાગે છે એ તે તેઓ જાણે. અને મારા કાર્યકાળ દરમ્યાન વિદેશ પ્રવાસમાં મિડિયાને સાથે લઇને વિમાનમાં અને પ્રવાસ પૂરો કર્યા બાદ પણ પત્રકાર પરિષદ યોજીને દેશ હિતમાં માહિતી જાહેર કરી છે. મોદીએ વિદેશ પ્રવાસમાં મિડિયાને સાથે લઇ જવાની તેઓ પીએમ થયાં ત્યારથી આ પરંપરા બંધ કરી છે. જે યોગ્ય નથી. મનમોહનસિંગે પોતાના પુસ્તક ચેન્જિંગ ઇન્ડિયાના વિમોચન વખતે મોદી પર પ્રહારો કર્યા હતા. તેમણે ભાજપ પર એવો પણ પ્રહાર કર્યો કે કેટલાક કહેતા હતા કે હું મૌન વડાપ્રધાન હતો. પરંતુ આ પુસ્તક તેમના માટે જવાબરૂપ છે.
-
ભાજપના નેતાઓ મૌનીબાબા કહીને જેમની રાજકીય ઠેકડી ઉડાડતા હતા તે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંગે આજે મિડિયા સાથે વાત નહીં કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિન્દી ટીવી ચેનલોની ભાષામાં કહીએ તો કરારા જવાબ આપ્યો છે. મનમોહને કહ્યું કે તેઓ પોતે વડાપ્રધાન તા ત્યારે સરળતાથી મિડિયા સાથે વાત કરતાં હતા. મને ક્યારેય મિડિયા સાથે વાતચીત કરતાં બીક લાગી નથી. મોદીને શેનો ડર લાગે છે એ તે તેઓ જાણે. અને મારા કાર્યકાળ દરમ્યાન વિદેશ પ્રવાસમાં મિડિયાને સાથે લઇને વિમાનમાં અને પ્રવાસ પૂરો કર્યા બાદ પણ પત્રકાર પરિષદ યોજીને દેશ હિતમાં માહિતી જાહેર કરી છે. મોદીએ વિદેશ પ્રવાસમાં મિડિયાને સાથે લઇ જવાની તેઓ પીએમ થયાં ત્યારથી આ પરંપરા બંધ કરી છે. જે યોગ્ય નથી. મનમોહનસિંગે પોતાના પુસ્તક ચેન્જિંગ ઇન્ડિયાના વિમોચન વખતે મોદી પર પ્રહારો કર્યા હતા. તેમણે ભાજપ પર એવો પણ પ્રહાર કર્યો કે કેટલાક કહેતા હતા કે હું મૌન વડાપ્રધાન હતો. પરંતુ આ પુસ્તક તેમના માટે જવાબરૂપ છે.