૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલાં દશેરાનાં છેલ્લાં સંબોધનમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામમંદિરનાં નિર્માણ માટે સરકારે યોગ્ય અને જરૂરી કાયદો ઘડી કાઢવો જોઈએ. નાગપુરમાં સંઘનાં મુખ્ય મથક ખાતે દશેરાની રેલીને સંબોધન કરતાં ભાગવતે જણાવ્યું હતું કે, ભગવાન રામ ભારતનું પ્રતીક છે, તેમનું મંદિર ગમે તે રીતે બંધાવું જોઈએ. સરકારે કાયદો ઘડીને ભવ્ય રામમંદિરનાં નિર્માણનો માર્ગ મોકળો કરવો જોઈએ. સ્વમાનની દૃષ્ટિએ પણ રામમંદિરનું નિર્માણ જરૂરી છે. રામમંદિરનાં નિર્માણથી દેશમાં એકતા અને ભાઈચારાનાં વાતાવરણનો માર્ગ ખુલ્લો થશે.
૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલાં દશેરાનાં છેલ્લાં સંબોધનમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામમંદિરનાં નિર્માણ માટે સરકારે યોગ્ય અને જરૂરી કાયદો ઘડી કાઢવો જોઈએ. નાગપુરમાં સંઘનાં મુખ્ય મથક ખાતે દશેરાની રેલીને સંબોધન કરતાં ભાગવતે જણાવ્યું હતું કે, ભગવાન રામ ભારતનું પ્રતીક છે, તેમનું મંદિર ગમે તે રીતે બંધાવું જોઈએ. સરકારે કાયદો ઘડીને ભવ્ય રામમંદિરનાં નિર્માણનો માર્ગ મોકળો કરવો જોઈએ. સ્વમાનની દૃષ્ટિએ પણ રામમંદિરનું નિર્માણ જરૂરી છે. રામમંદિરનાં નિર્માણથી દેશમાં એકતા અને ભાઈચારાનાં વાતાવરણનો માર્ગ ખુલ્લો થશે.