-
ગુજરાત સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ગરીબ સવર્ણોને આપેલા 10 ટકા અનામતનો નિર્ણય સૌથી પહેલા કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે 14 જાન્યુ. મકરસંક્રાંતિથી રાજ્યના ઉચ્ચ શૈક્ષણિક પ્રવેશોમાં અને સરકારી નોકરીઓમાં ભરતી માટેની માત્ર જાહેરાત થઇ હોય અને ભરતીની કોઇપણ પ્રકારની પ્રક્રિયા હાથ ન ધરાઇ હોય તો એ ભરતી અને પ્રવેશ સ્થગિત રાખીને તેમાં પણ 10 ટકા અનામતનો લાભ અપાશે. આ 10 ટકા અનામત એસ.સી. એસ.ટી. અને એસ.ઈ.બી.સી ને મળવા પાત્ર 49 ટકા ઉપરાંતની રહેશે. મુખ્યમંત્રીએ કેન્દ્રની મોદી સરકારે બિનઅનામત વર્ગો ને 10 ટકા અનામત આપવાના કરેલા ઐતિહાસિક અને અભૂતપૂર્વ ક્રાંતિકારી નિર્ણય ને સૌ પ્રથમ પ્રતિસાદ આપતા આ મહત્વપૂર્ણ નિણર્ય કર્યો છે
-
ગુજરાત સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ગરીબ સવર્ણોને આપેલા 10 ટકા અનામતનો નિર્ણય સૌથી પહેલા કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે 14 જાન્યુ. મકરસંક્રાંતિથી રાજ્યના ઉચ્ચ શૈક્ષણિક પ્રવેશોમાં અને સરકારી નોકરીઓમાં ભરતી માટેની માત્ર જાહેરાત થઇ હોય અને ભરતીની કોઇપણ પ્રકારની પ્રક્રિયા હાથ ન ધરાઇ હોય તો એ ભરતી અને પ્રવેશ સ્થગિત રાખીને તેમાં પણ 10 ટકા અનામતનો લાભ અપાશે. આ 10 ટકા અનામત એસ.સી. એસ.ટી. અને એસ.ઈ.બી.સી ને મળવા પાત્ર 49 ટકા ઉપરાંતની રહેશે. મુખ્યમંત્રીએ કેન્દ્રની મોદી સરકારે બિનઅનામત વર્ગો ને 10 ટકા અનામત આપવાના કરેલા ઐતિહાસિક અને અભૂતપૂર્વ ક્રાંતિકારી નિર્ણય ને સૌ પ્રથમ પ્રતિસાદ આપતા આ મહત્વપૂર્ણ નિણર્ય કર્યો છે