-
ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રના પ્રથમ દિવસે સરકારને ઘેરવા માટે કોંગ્રેસે યોજેલી ખેડૂત આક્રોશ રેલી અને વિધાનસભા તરફ કૂચના પ્રયાસને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે ગુજરાતના ખેડૂતો માટે અમારી સરકારે ઘણાં મહત્વના કાર્યો કર્યા છે. વિધાનસભામાં કોંગ્રેસ જુદા જુદા વિષયો પર વિરોધ કરે છે. ખેડૂતોનું નામ આગળ કરી કોંગ્રેસ ભાજપનો વિરોધ કરી રહ્યું છે. અમારી સરકારની કામગીરી સામે કોંગ્રેસ પોતાની ભૂતકાળની સરકારની સરખામણી કરે. અમે 22 વર્ષમાં એકપણ વખત ખેડૂતો પર લાઠીચાર્જ કે ગોળીબાર કર્યો નથી. જ્યારે કોંગ્રેસે ખેડૂતોની રેલી પર અત્યાચાર કર્યા છે. યુવા કોંગ્રેસીઓ અત્યારે હોદ્દેદારો છે તેમણે કોંગ્રેસનો ભૂતકાળ તપાસવો જોઇએ. કોંગ્રેસે ખેડૂતોને અત્યાચાર સિવાય કશું આપ્યું નથી. , 'ગુજરાતના ખેડૂતો અમારી સરકારની જાહેરાતોથી ખુશ છે. બે દિવસ પછી ખેડૂતોને ફાયદો થાય તેવી જાહેરાત કરવામાં આવશે. હાલ ચોમાસું સત્ર ચાલે છે તેથી હાલ નહીં પરંતુ બે દિવસ પછી કરવામાં આવશે.
-
ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રના પ્રથમ દિવસે સરકારને ઘેરવા માટે કોંગ્રેસે યોજેલી ખેડૂત આક્રોશ રેલી અને વિધાનસભા તરફ કૂચના પ્રયાસને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે ગુજરાતના ખેડૂતો માટે અમારી સરકારે ઘણાં મહત્વના કાર્યો કર્યા છે. વિધાનસભામાં કોંગ્રેસ જુદા જુદા વિષયો પર વિરોધ કરે છે. ખેડૂતોનું નામ આગળ કરી કોંગ્રેસ ભાજપનો વિરોધ કરી રહ્યું છે. અમારી સરકારની કામગીરી સામે કોંગ્રેસ પોતાની ભૂતકાળની સરકારની સરખામણી કરે. અમે 22 વર્ષમાં એકપણ વખત ખેડૂતો પર લાઠીચાર્જ કે ગોળીબાર કર્યો નથી. જ્યારે કોંગ્રેસે ખેડૂતોની રેલી પર અત્યાચાર કર્યા છે. યુવા કોંગ્રેસીઓ અત્યારે હોદ્દેદારો છે તેમણે કોંગ્રેસનો ભૂતકાળ તપાસવો જોઇએ. કોંગ્રેસે ખેડૂતોને અત્યાચાર સિવાય કશું આપ્યું નથી. , 'ગુજરાતના ખેડૂતો અમારી સરકારની જાહેરાતોથી ખુશ છે. બે દિવસ પછી ખેડૂતોને ફાયદો થાય તેવી જાહેરાત કરવામાં આવશે. હાલ ચોમાસું સત્ર ચાલે છે તેથી હાલ નહીં પરંતુ બે દિવસ પછી કરવામાં આવશે.