ગુજરાત હાઇકોર્ટે નરોડા પાટિયા કેસમાં ત્રણેય આરોપીઓને 10 વર્ષની સજા ફટકારી છે. ગોધરાકાંડ બાદ અમદાવાદના નરોડા ખાતે ફાટી નીકળેલા તોફાનો અંગે ગુજરાત હાઇકોર્ટે 20મી એપ્રીલના રોજ ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે પોતાના ચુકાદામાં ટ્રાયલ કોર્ટે નિર્દોષ છોડી મુકેલા રાજુ ચૌમલ, પરમેન્દ્ર અને ઉમેશ એમ ત્રણને દોષી માન્યા હતા.