-
જે ઘટનાને લઇને દેશ આખામાં પાકિસ્તાન પ્રત્યે ભારોભાર રોષ છે અને 40 કરતાં વધુ જવાનોની શહિદીનો બદલો લેવાની માંગ થઇ રહી છે લોકો પોતપોતાની સગવડ અને સુવિધા પ્રમાણે શહિદ જવાનોને નોખી અને અનોખી રીતે શ્રધ્ધાંજલિ અર્પી રહ્યાં છે ત્યારે ગુજરાત સરકારે 40 જવાનોને શ્રધ્ધાંજલિ માટે વિધાનસભામાં કોઇ અલગ શોક પ્રસ્તાવ લાવવાને બદલે કે રજૂ કરવાને બદલે દર વખતે રજૂ કરાતા શોકદર્શક ઉલ્લેખોની સાથે જોડીને શહિદો પ્રત્યે ઓછી લાગણી દર્શાવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. વિધાનસભામાં સોમવારે 18મીથી શરૂ થનાર બજેટ સત્રના પહેલા દિવસના એજન્ડામાં રાજ્યપાલના સંબોધન બાદ શોકદર્શક ઉલ્લેખો રજૂ થશે. જેમાં પુલવામા આતંકી હુમલાનો સમાવેશ થાય છે. ચર્ચા એવી છે કે જેમ નર્મદા માટે અલગ પ્રસ્તાવ રજૂ થતો હોય તેમ 40 જવાનોની શહિદી માટે અલગ શોક પ્રસ્તાવ પહેલા દિવસે અને બાકીના શોકદર્શક ઉલ્લેખો બીજા દિવસે રાખી શકાય. અલગ શોક પ્રસ્તાવથી શહિદો પ્રત્યેની સંવેદના અને ગરિમા જળવાશે એમ પણ લાગણી જોવા મળી રહી છે.
-
જે ઘટનાને લઇને દેશ આખામાં પાકિસ્તાન પ્રત્યે ભારોભાર રોષ છે અને 40 કરતાં વધુ જવાનોની શહિદીનો બદલો લેવાની માંગ થઇ રહી છે લોકો પોતપોતાની સગવડ અને સુવિધા પ્રમાણે શહિદ જવાનોને નોખી અને અનોખી રીતે શ્રધ્ધાંજલિ અર્પી રહ્યાં છે ત્યારે ગુજરાત સરકારે 40 જવાનોને શ્રધ્ધાંજલિ માટે વિધાનસભામાં કોઇ અલગ શોક પ્રસ્તાવ લાવવાને બદલે કે રજૂ કરવાને બદલે દર વખતે રજૂ કરાતા શોકદર્શક ઉલ્લેખોની સાથે જોડીને શહિદો પ્રત્યે ઓછી લાગણી દર્શાવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. વિધાનસભામાં સોમવારે 18મીથી શરૂ થનાર બજેટ સત્રના પહેલા દિવસના એજન્ડામાં રાજ્યપાલના સંબોધન બાદ શોકદર્શક ઉલ્લેખો રજૂ થશે. જેમાં પુલવામા આતંકી હુમલાનો સમાવેશ થાય છે. ચર્ચા એવી છે કે જેમ નર્મદા માટે અલગ પ્રસ્તાવ રજૂ થતો હોય તેમ 40 જવાનોની શહિદી માટે અલગ શોક પ્રસ્તાવ પહેલા દિવસે અને બાકીના શોકદર્શક ઉલ્લેખો બીજા દિવસે રાખી શકાય. અલગ શોક પ્રસ્તાવથી શહિદો પ્રત્યેની સંવેદના અને ગરિમા જળવાશે એમ પણ લાગણી જોવા મળી રહી છે.