વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનાં જીવનનો ભૂતકાળ યાદ કરતાં જણાવ્યું હતું કે, મેં બે વર્ષ હિમાલયમાં વિતાવ્યાં હતાં. હિમાલયમાંથી પરત ફર્યા બાદ હું જાણતો હતો કે મારું જીવન અન્યોની સેવા માટે છે. હિમાલયથી પરત આવ્યાના થોડા સમય પછી હું અમદાવાદ ગયો હતો. પહેલી વાર કોઈ મોટાં શહેરમાં પહોંચ્યો હતો. અમદાવાદમાં હું મારા કાકાની કેન્ટીનમાં મદદ કરતો હતો. ધીમે ધીમે હું સંઘપ્રચારક બન્યો, ત્યારબાદ દર વર્ષે કેટલાક સમય માટે જંગલમાં ચાલ્યો જતો હતો. હ્યુમન્સ ઓફ બોમ્બે ફેસબુક પર જારી કરાયેલા ઇન્ટરવ્યૂમાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે હિમાલયથી પરત આવ્યા બાદ મેં નિર્ણય લીધો હતો કે, હું શાંતિ માટે દર વર્ષે કેટલોક સમય દૂર એકાંતમાં વિતાવીને આત્મનિરીક્ષણ કરીશ. ઘણાં લોકો એ વાત જાણતાં નથી કે હું દિવાળીના તહેવારના પાંચ દિવસ દરમિયાન કોઈ જંગલમાં ચાલ્યો જતો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનાં જીવનનો ભૂતકાળ યાદ કરતાં જણાવ્યું હતું કે, મેં બે વર્ષ હિમાલયમાં વિતાવ્યાં હતાં. હિમાલયમાંથી પરત ફર્યા બાદ હું જાણતો હતો કે મારું જીવન અન્યોની સેવા માટે છે. હિમાલયથી પરત આવ્યાના થોડા સમય પછી હું અમદાવાદ ગયો હતો. પહેલી વાર કોઈ મોટાં શહેરમાં પહોંચ્યો હતો. અમદાવાદમાં હું મારા કાકાની કેન્ટીનમાં મદદ કરતો હતો. ધીમે ધીમે હું સંઘપ્રચારક બન્યો, ત્યારબાદ દર વર્ષે કેટલાક સમય માટે જંગલમાં ચાલ્યો જતો હતો. હ્યુમન્સ ઓફ બોમ્બે ફેસબુક પર જારી કરાયેલા ઇન્ટરવ્યૂમાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે હિમાલયથી પરત આવ્યા બાદ મેં નિર્ણય લીધો હતો કે, હું શાંતિ માટે દર વર્ષે કેટલોક સમય દૂર એકાંતમાં વિતાવીને આત્મનિરીક્ષણ કરીશ. ઘણાં લોકો એ વાત જાણતાં નથી કે હું દિવાળીના તહેવારના પાંચ દિવસ દરમિયાન કોઈ જંગલમાં ચાલ્યો જતો હતો.