Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હિંમતનગરના ઢુંઢર ગામની બાળા સાથે દુષ્કર્મ બાદ ગુજરાતભરમાં પરપ્રાંતીયો સામે રોષ ફાટી નીકળ્યો હતો અને એક પછી એક હુમલાની ઘટના સામે આવતાં મોટી સંખ્યામાં પરપ્રાંતીયોને હિજરત કરવાની ફરજ પડી છે. ગુજરાતમાં ભડકાની આ સ્થિતિમાં ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાનો વીડિયો વારયલ થયો છે, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવેદનને ટાંકી તેઓ કહે છે કે, જો ૮૦ ટકા સ્થાનિકોને રોજગારી નહિ મળે તો ચલાવી નહિ લેવાય.
વીડિયોમાં તેઓ કહે છે કે, ૫૦ ગામના લોકોની હાજરીમાં કહું છું કે જો સ્થાનિકોને રોજગારી નહિ મળે તો યુવાઓને સાથે રાખીને આંદોલન કરવામાં આવશે. અત્યારે હું સર્વે કરાવી રહ્યો છું. આમ ભાજપના ધારાસભ્ય અત્યારે સર્વે કરાવી રહ્યા છે કે, કેટલા સ્થાનિકો અને કેટલા પરપ્રાંતીયો કામ કરી રહ્યા છે એ પછી તેઓ આંદોલન કરવાના છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ વિવાદ વધુ વકરે તેવું લાગી રહ્યું છે.
 

હિંમતનગરના ઢુંઢર ગામની બાળા સાથે દુષ્કર્મ બાદ ગુજરાતભરમાં પરપ્રાંતીયો સામે રોષ ફાટી નીકળ્યો હતો અને એક પછી એક હુમલાની ઘટના સામે આવતાં મોટી સંખ્યામાં પરપ્રાંતીયોને હિજરત કરવાની ફરજ પડી છે. ગુજરાતમાં ભડકાની આ સ્થિતિમાં ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાનો વીડિયો વારયલ થયો છે, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવેદનને ટાંકી તેઓ કહે છે કે, જો ૮૦ ટકા સ્થાનિકોને રોજગારી નહિ મળે તો ચલાવી નહિ લેવાય.
વીડિયોમાં તેઓ કહે છે કે, ૫૦ ગામના લોકોની હાજરીમાં કહું છું કે જો સ્થાનિકોને રોજગારી નહિ મળે તો યુવાઓને સાથે રાખીને આંદોલન કરવામાં આવશે. અત્યારે હું સર્વે કરાવી રહ્યો છું. આમ ભાજપના ધારાસભ્ય અત્યારે સર્વે કરાવી રહ્યા છે કે, કેટલા સ્થાનિકો અને કેટલા પરપ્રાંતીયો કામ કરી રહ્યા છે એ પછી તેઓ આંદોલન કરવાના છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ વિવાદ વધુ વકરે તેવું લાગી રહ્યું છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ