શ્રીલંકામાં આવેલા ભયંકર પૂરના કારણે માર્યા ગયેલાઓના સંખ્યા આજે વધીને ૧૫૦ થઇ હતી. વર્ષ ૨૦૦૩ પછી આ પૂર સૌથી વધુ ભયંકર હતું. સુરક્ષા દળ અને બચાવ ટુકડીઓએ લાપતા બનેલા લોકોને શોધવા માટે અભિયાન શરૃ કર્યો હતો. જો કે આજે સ્થિતિમાં સુધારો થયો હતો અને પૂરના પાણી પણ ઓસરી ગયા હતા. હવામાન સાફ હતું. પૂરના કારણે પંદર જિલ્લાના ૧૧૪૧૨૪ પરિવારના ૪૪૨ ૨૯૯ લોકો બેઘર થયા હતા. કૂદરતી આપત્તિ વ્યવસ્થાપન સંસ્થાએ કહ્યું હતું કે મરણ આંક ૧૫૦ પર પહોંચ્યો હતો અને હજુ પણ ૧૧ લોકો લાપતા છે. ૨૪૬૦૬ પરિવારના ૧૦૧૬૩૮ લોકોને ૩૧૯ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
શ્રીલંકામાં આવેલા ભયંકર પૂરના કારણે માર્યા ગયેલાઓના સંખ્યા આજે વધીને ૧૫૦ થઇ હતી. વર્ષ ૨૦૦૩ પછી આ પૂર સૌથી વધુ ભયંકર હતું. સુરક્ષા દળ અને બચાવ ટુકડીઓએ લાપતા બનેલા લોકોને શોધવા માટે અભિયાન શરૃ કર્યો હતો. જો કે આજે સ્થિતિમાં સુધારો થયો હતો અને પૂરના પાણી પણ ઓસરી ગયા હતા. હવામાન સાફ હતું. પૂરના કારણે પંદર જિલ્લાના ૧૧૪૧૨૪ પરિવારના ૪૪૨ ૨૯૯ લોકો બેઘર થયા હતા. કૂદરતી આપત્તિ વ્યવસ્થાપન સંસ્થાએ કહ્યું હતું કે મરણ આંક ૧૫૦ પર પહોંચ્યો હતો અને હજુ પણ ૧૧ લોકો લાપતા છે. ૨૪૬૦૬ પરિવારના ૧૦૧૬૩૮ લોકોને ૩૧૯ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.