Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બહુજન સમાજ પાર્ટીનાં સર્વેસર્વા માયાવતીએ મંગળવારે તેમનાં ૬૩મા જન્મદિવસે ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે લોકસભાની યોજાનારી આગામી ચૂંટણીમાં દેશનાં વડા પ્રધાન યુપી નક્કી કરશે. તેમણે કાર્યકરો પાસે યુપીમાં બંને પક્ષને જીતાડવાની ગિફ્ટ માગી હતી.
માયાવતીએ કહ્યું કે આ વખતે મારો જન્મદિવસ રાષ્ટ્રીય ચૂંટણી પહેલાં આવ્યો છે. અમે સમાજવાદી પાર્ટી સાથે જોડાણ કરીને ભાજપની ઊંઘ ચોરી લીધી છે. કેન્દ્રમાં કોની સત્તા હશે અને કોણ વડા પ્રધાન બનશે તે યુપી નક્કી કરશે.  માયાવતીએ તેમનાં જન્મદિવસે ૬૩ કિલોની કેક કાપીને જન કલ્યાણકારી દિવસ તરીકે તેની ઉજવણી કરી હતી. અખિલેશ યાદવે તેમને જન્મદિવસ પર શાલ ઓઢાવી અને પુષ્પગુચ્છ ભેટ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
 

બહુજન સમાજ પાર્ટીનાં સર્વેસર્વા માયાવતીએ મંગળવારે તેમનાં ૬૩મા જન્મદિવસે ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે લોકસભાની યોજાનારી આગામી ચૂંટણીમાં દેશનાં વડા પ્રધાન યુપી નક્કી કરશે. તેમણે કાર્યકરો પાસે યુપીમાં બંને પક્ષને જીતાડવાની ગિફ્ટ માગી હતી.
માયાવતીએ કહ્યું કે આ વખતે મારો જન્મદિવસ રાષ્ટ્રીય ચૂંટણી પહેલાં આવ્યો છે. અમે સમાજવાદી પાર્ટી સાથે જોડાણ કરીને ભાજપની ઊંઘ ચોરી લીધી છે. કેન્દ્રમાં કોની સત્તા હશે અને કોણ વડા પ્રધાન બનશે તે યુપી નક્કી કરશે.  માયાવતીએ તેમનાં જન્મદિવસે ૬૩ કિલોની કેક કાપીને જન કલ્યાણકારી દિવસ તરીકે તેની ઉજવણી કરી હતી. અખિલેશ યાદવે તેમને જન્મદિવસ પર શાલ ઓઢાવી અને પુષ્પગુચ્છ ભેટ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ