સમગ્ર દેશમાં આજે દેશના 72મા સ્વતંત્રતાપર્વની ઉજવણી ઉત્સાહપૂર્વક થઈ રહી છે. લાલ કિલ્લા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરંગો લહેરાવ્યો હતો. ગુજરાત અને મુંબઈ સહિતના સ્થળોએ પણ સરકારી, અર્ધસરકારી અને સૈન્ય મથકો તથા શાળાઓમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયા છે. ધ્વજવંદન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભારત-પાકિસ્તાન સરહદે પણ ધ્વજવંદન થયું હતું.