-
પોતાને ભારતની સારામાં સારી એરલાઇન કંપની માનતી જેટ એરવેઝના એક એર હોસ્ટેસની ભૂલને કારણે ઓછામાં ઓછા 30 મુસાફરો વિમાનની અંદર જ માર્યા ગયા હોત. આજે સવારે મુંબઇથી જયપુર માટે જેટની ફલાઇટ ઉડી ત્યારે એર હોસ્ટેસ વિમાનની અંદર કેબિન પ્રેશર સમતોલ રાખનારી સ્વીચ દબાવવાનું ભૂલી ગઇ...! અને જ્યારે વિમાન ઉંચાઇ પર પહોંચ્યું ત્યારે દબાણ ઘટી જતાં મુસાફરોના નાક અને કાનમાંથી લોહી નિકળવા માંડ્યું..! કુલ 166 મુસાફરોમાંથી 30 મુસાફરો તેના ભોગ બન્યા અને નાક-કાનમાંથી લોહી નિકળતુ જોઇને ગભરાઇ ગયા. વિમાનની અંદર ગભરાટ ફેલાઇ ગયો. તરત જ ઓક્સીજન માસ્ક આપવામાં આવ્યાં ત્યારે મુસાફરોના જીવમાં જીવ આવ્યો હતો. વિમાનને ત્યારબાદ જયપુરને બદલે પરત મુંબઇ લાવીને બિમાર મુસાફરોને હોસ્પિટલમાં લઇ જવાયા હતા. તેમની સારવારનો તમામ ખર્ચ જેટ એરવેઝે આપવાની જાહેરાત કરી છે. આને જેટ એરવેઝ કહેવાય કે વેઠ ઉતારતી એરવેઝ...? એર હોસ્ટેસને ફરજમાંથી દૂર કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.
-
પોતાને ભારતની સારામાં સારી એરલાઇન કંપની માનતી જેટ એરવેઝના એક એર હોસ્ટેસની ભૂલને કારણે ઓછામાં ઓછા 30 મુસાફરો વિમાનની અંદર જ માર્યા ગયા હોત. આજે સવારે મુંબઇથી જયપુર માટે જેટની ફલાઇટ ઉડી ત્યારે એર હોસ્ટેસ વિમાનની અંદર કેબિન પ્રેશર સમતોલ રાખનારી સ્વીચ દબાવવાનું ભૂલી ગઇ...! અને જ્યારે વિમાન ઉંચાઇ પર પહોંચ્યું ત્યારે દબાણ ઘટી જતાં મુસાફરોના નાક અને કાનમાંથી લોહી નિકળવા માંડ્યું..! કુલ 166 મુસાફરોમાંથી 30 મુસાફરો તેના ભોગ બન્યા અને નાક-કાનમાંથી લોહી નિકળતુ જોઇને ગભરાઇ ગયા. વિમાનની અંદર ગભરાટ ફેલાઇ ગયો. તરત જ ઓક્સીજન માસ્ક આપવામાં આવ્યાં ત્યારે મુસાફરોના જીવમાં જીવ આવ્યો હતો. વિમાનને ત્યારબાદ જયપુરને બદલે પરત મુંબઇ લાવીને બિમાર મુસાફરોને હોસ્પિટલમાં લઇ જવાયા હતા. તેમની સારવારનો તમામ ખર્ચ જેટ એરવેઝે આપવાની જાહેરાત કરી છે. આને જેટ એરવેઝ કહેવાય કે વેઠ ઉતારતી એરવેઝ...? એર હોસ્ટેસને ફરજમાંથી દૂર કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.