-
રાજસ્થાન,મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભામાં કોંગ્રેસની સરકાર બનવા જઇ રહી છે ત્યારે પરિણામ જાહેર થયાના 48 કલાકમાં પણ પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા 3 રાજ્યોના મુખ્યમંત્રીઓના નામો નક્કી કરી શકાયા નથી. અને મુખ્યમંત્રી બનવાના દાવાઓ થઇ રહ્યાં છે તો તેમના ટેકેદારો પણ પોસ્ટરો-બેનરો સાથે દેખાવો કરી રહ્યાં છે. દરમ્યાનમાં સૂત્રોએ કહ્યું કે મધ્યપ્રદેશમાં કમલનાથ અને રાજસ્થાન માટે પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના નામો લગભગ નક્કી છે. જો કે કમલનાથ સામે જ્યોતિર્દિત્ય સિંધિયાના ટેકેદારોનો વિરોધ છે તે ગેહલોતની સામે સચિન પાયલટના ટેકેદોરો પ્રદર્શન યોજી રહ્યાં છે. છત્તીસગઢમાં ભૂપેશ બધેલનું નામ સૌથી મોખરે છે.
-
રાજસ્થાન,મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભામાં કોંગ્રેસની સરકાર બનવા જઇ રહી છે ત્યારે પરિણામ જાહેર થયાના 48 કલાકમાં પણ પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા 3 રાજ્યોના મુખ્યમંત્રીઓના નામો નક્કી કરી શકાયા નથી. અને મુખ્યમંત્રી બનવાના દાવાઓ થઇ રહ્યાં છે તો તેમના ટેકેદારો પણ પોસ્ટરો-બેનરો સાથે દેખાવો કરી રહ્યાં છે. દરમ્યાનમાં સૂત્રોએ કહ્યું કે મધ્યપ્રદેશમાં કમલનાથ અને રાજસ્થાન માટે પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના નામો લગભગ નક્કી છે. જો કે કમલનાથ સામે જ્યોતિર્દિત્ય સિંધિયાના ટેકેદારોનો વિરોધ છે તે ગેહલોતની સામે સચિન પાયલટના ટેકેદોરો પ્રદર્શન યોજી રહ્યાં છે. છત્તીસગઢમાં ભૂપેશ બધેલનું નામ સૌથી મોખરે છે.