ભાજપ અધ્યક્ષ અમિત શાહે આજે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રની NDA સરકારના 4 વર્ષ પુરા થવાના પ્રસંગે સરકારની સફળતાઓ ગણાવી હતી. દિલ્હીમાં તેમણે આ પ્રસંગે વિરોધપક્ષ પર પણ આકરા પ્રહારો કર્યા હતાં. શાહે કહ્યું હતું કે, વિપક્ષ મોદીને હટાવવા માંગે છે. વિપક્ષ જુઠ્ઠાણાને જોરથી અને સાર્વજનિક રીતે બોલે છે જ્યારે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એજંડા ગરીબી અને ભ્રષ્ટાચાર હટાવવાનો છે.