પંજાબ નેશનલ બેંક સાથે રૃ. ૧૧,૪૦૦ કરોડની છેતરપિંડી કરનારા જ્વેલરી ડિઝાઇનર નિરવ મોદીની અનેક પ્રોપર્ટીઝમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન ઈડીના અધિકારીઓએ મુંબઇમાં નિરવ મોદીના કુર્લામાં આવેલા રહેઠાણ સહિત અનેક સ્થળેથી અધધ રૃ. ૫,૧૦૦ કરોડના હીરા અને સોનાના દાગીના જપ્ત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, નિરવ મોદી ડાયમન્ડ મરચન્ટ અને જ્વેલરી ડિઝાઇનર તરીકે સારી એવી નામના ધરાવતા હતા. તેમનો કારોબાર ભારત સિવાય અમેરિકા, યુરોપના કેટલાક દેશો અને મધ્ય પૂર્વીય દેશોમાં પણ ફેલાયેલો છે.
પંજાબ નેશનલ બેંક સાથે રૃ. ૧૧,૪૦૦ કરોડની છેતરપિંડી કરનારા જ્વેલરી ડિઝાઇનર નિરવ મોદીની અનેક પ્રોપર્ટીઝમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન ઈડીના અધિકારીઓએ મુંબઇમાં નિરવ મોદીના કુર્લામાં આવેલા રહેઠાણ સહિત અનેક સ્થળેથી અધધ રૃ. ૫,૧૦૦ કરોડના હીરા અને સોનાના દાગીના જપ્ત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, નિરવ મોદી ડાયમન્ડ મરચન્ટ અને જ્વેલરી ડિઝાઇનર તરીકે સારી એવી નામના ધરાવતા હતા. તેમનો કારોબાર ભારત સિવાય અમેરિકા, યુરોપના કેટલાક દેશો અને મધ્ય પૂર્વીય દેશોમાં પણ ફેલાયેલો છે.