મધ્ય પ્રદેશ સરકારના કેબિનેટ પ્રધાન ડો. ગોવિંદસિંહે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પર હથિયાર, બોંબ, ગ્રેનેડ બનાવવાના અને વિસ્ફોટ કરાવવાના આક્ષેપ કરતાં વિવાદ વકર્યો છે. ભાજપે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રહાર કરતાં ગોવિંદસિંહે વળતો જવાબ આપતાં આ આક્ષેપ કર્યા છે. જોકે પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને ગોવિંદસિંહનું આ નિવેદન હાસ્યાસ્પદ અને અજ્ઞા।નતાથી ભરેલું હોવાનું જણાવ્યું છે. રાજ્યના સહકાર અને સંસદીય બાબતોના પ્રધાન ગોવિંદસિંહને પત્રકારોએ મધ્ય પ્રદેશમાં ભાજપ કાર્યકરોની થઈ રહેલી હત્યા વિષે પૂછતાં ગોવિંદસિંહે વળતા પ્રહાર કર્યા હતા કે ભાજપ અપરાધીઓને સંરક્ષણ આપે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભાજપ- સંઘ દ્વારા તાલીમ પ્રાપ્ત અપરાધીઓ હવે અંદર અંદર લડી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે અપરાધીઓ અને હિસ્ટ્રીશીટર્સને ભાજપે બોંબ બનાવવાની અને ગોળીબારની તાલીમ આપી હતી. ભૂતકાળમાં આવા લોકોની ધરપકડ પણ થઈ ચૂકી છે. તેમણે માલેગાંવ વિસ્ફોટમાં સંડોવાયેલા સાધ્વી પ્રજ્ઞા।નું ઉદાહરણ પણ આપ્યું હતું.
મધ્ય પ્રદેશ સરકારના કેબિનેટ પ્રધાન ડો. ગોવિંદસિંહે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પર હથિયાર, બોંબ, ગ્રેનેડ બનાવવાના અને વિસ્ફોટ કરાવવાના આક્ષેપ કરતાં વિવાદ વકર્યો છે. ભાજપે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રહાર કરતાં ગોવિંદસિંહે વળતો જવાબ આપતાં આ આક્ષેપ કર્યા છે. જોકે પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને ગોવિંદસિંહનું આ નિવેદન હાસ્યાસ્પદ અને અજ્ઞા।નતાથી ભરેલું હોવાનું જણાવ્યું છે. રાજ્યના સહકાર અને સંસદીય બાબતોના પ્રધાન ગોવિંદસિંહને પત્રકારોએ મધ્ય પ્રદેશમાં ભાજપ કાર્યકરોની થઈ રહેલી હત્યા વિષે પૂછતાં ગોવિંદસિંહે વળતા પ્રહાર કર્યા હતા કે ભાજપ અપરાધીઓને સંરક્ષણ આપે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભાજપ- સંઘ દ્વારા તાલીમ પ્રાપ્ત અપરાધીઓ હવે અંદર અંદર લડી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે અપરાધીઓ અને હિસ્ટ્રીશીટર્સને ભાજપે બોંબ બનાવવાની અને ગોળીબારની તાલીમ આપી હતી. ભૂતકાળમાં આવા લોકોની ધરપકડ પણ થઈ ચૂકી છે. તેમણે માલેગાંવ વિસ્ફોટમાં સંડોવાયેલા સાધ્વી પ્રજ્ઞા।નું ઉદાહરણ પણ આપ્યું હતું.