૨૦ જેટલી મહિલા પત્રકારો દ્વારા જાતીય શોષણ અને યૌન ઉત્પીડનના આરોપોનો સામનો કરી રહેલા એમ. જે. અકબરે બુધવારે કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રીપદેથી રાજીનામું આપી દીધું હતું. અકબરે એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે, મેં કાયદાની અદાલતમાં વ્યક્તિગત રીતે ન્યાય મેળવવાનો નિર્ણય લીધો છે. મને લાગે છે કે, મારે હોદ્દા પરથી રાજીનામું આપીને મારા પર મુકાયેલા આરોપોનો વ્યક્તિગત ક્ષમતાથી જવાબ આપવો જોઈએ, તેથી મેં કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રીના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. મને દેશની સેવા કરવાની તક આપવા માટે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશપ્રધાન સુષમા સ્વરાજનો આભાર માનું છું.
૨૦ જેટલી મહિલા પત્રકારો દ્વારા જાતીય શોષણ અને યૌન ઉત્પીડનના આરોપોનો સામનો કરી રહેલા એમ. જે. અકબરે બુધવારે કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રીપદેથી રાજીનામું આપી દીધું હતું. અકબરે એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે, મેં કાયદાની અદાલતમાં વ્યક્તિગત રીતે ન્યાય મેળવવાનો નિર્ણય લીધો છે. મને લાગે છે કે, મારે હોદ્દા પરથી રાજીનામું આપીને મારા પર મુકાયેલા આરોપોનો વ્યક્તિગત ક્ષમતાથી જવાબ આપવો જોઈએ, તેથી મેં કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રીના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. મને દેશની સેવા કરવાની તક આપવા માટે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશપ્રધાન સુષમા સ્વરાજનો આભાર માનું છું.