-
હું મારા ગામ વડનગરના રેલ્વે પ્લેટફોર્મ પર ચા વેચતો હતો એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દાવાને વધુ એક વખત જાકારો મળ્યો છે. આ વખતે અન્ય કોઇ નહીં પણ જેઓ મોદીને નખથી લઇને માથા સુધી બરાબર ઓળખે છે તેવા તેમના પરમ મિત્ર ડો. પ્રવિણ તોગડિયાએ મોં ખોલ્યું છે. તેમણે દાવો કર્યો કે હું મોદીને 43 વર્ષથી ઓળખુ છું. મેં ક્યારેય એમને ચા વેચતા જોયા નથી. હું ડોક્ટર છું તેના પુરાવા તમને મારા પરિચિતોમાંથી મળી જશે પણ મોદીનો દાવો કે તેઓ ચા વેચતા તેના કોઇ પુરાવા નહીં મળે. અને મળે પણ ક્યાંથી ચા વેચી હોય તો ને...? આમ તો મોદી અને વીએચપીના તોગડિયા વચ્ચે સારા સંબંધો હતા પરંતુ રામ મંદિરના મામલે તોગડિયાએ મોદી પર દબાણ વધારતાં તેમને વીએચપીમાંથી દૂર કરવામાં આવ્યાં છે. તોગડિયા નવા રાજકીય પક્ષ સાથે લોકસભા ચૂંટણીમાં ભાજપની સામે આવી રહ્યાં છે. મોદી ચા વેચતા હતા તેવા દાવા અંગે તોગડિયાના ખુલાસાથી મોદીના વિરોધીઓને તેમની વિરૂધ્ધ પ્રહાર કરવાનો વધુ એક મોકો મળે તેમ છે.
-
હું મારા ગામ વડનગરના રેલ્વે પ્લેટફોર્મ પર ચા વેચતો હતો એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દાવાને વધુ એક વખત જાકારો મળ્યો છે. આ વખતે અન્ય કોઇ નહીં પણ જેઓ મોદીને નખથી લઇને માથા સુધી બરાબર ઓળખે છે તેવા તેમના પરમ મિત્ર ડો. પ્રવિણ તોગડિયાએ મોં ખોલ્યું છે. તેમણે દાવો કર્યો કે હું મોદીને 43 વર્ષથી ઓળખુ છું. મેં ક્યારેય એમને ચા વેચતા જોયા નથી. હું ડોક્ટર છું તેના પુરાવા તમને મારા પરિચિતોમાંથી મળી જશે પણ મોદીનો દાવો કે તેઓ ચા વેચતા તેના કોઇ પુરાવા નહીં મળે. અને મળે પણ ક્યાંથી ચા વેચી હોય તો ને...? આમ તો મોદી અને વીએચપીના તોગડિયા વચ્ચે સારા સંબંધો હતા પરંતુ રામ મંદિરના મામલે તોગડિયાએ મોદી પર દબાણ વધારતાં તેમને વીએચપીમાંથી દૂર કરવામાં આવ્યાં છે. તોગડિયા નવા રાજકીય પક્ષ સાથે લોકસભા ચૂંટણીમાં ભાજપની સામે આવી રહ્યાં છે. મોદી ચા વેચતા હતા તેવા દાવા અંગે તોગડિયાના ખુલાસાથી મોદીના વિરોધીઓને તેમની વિરૂધ્ધ પ્રહાર કરવાનો વધુ એક મોકો મળે તેમ છે.