લોકસભામાં શુક્રવારે મોદી સરકાર સામેના અવિશ્વાસ પ્રસ્તાવની ૧૨ કલાક લાંબી મેરેથોન ચર્ચા બાદ હાથ ધરાયેલા મતદાનમાં મોદી સરકાર હેમખેમ અગ્નિપરીક્ષામાં પાસ થઇ ગઇ હતી. ચર્ચાના અંતે ધ્વનિ મત અને મતવિભાજનથી મતદાન કરાવવવામાં આવ્યું હતું. ધ્વનિ મતમાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવનો પરાજય થયો હતો. મતવિભાજમાં અવિસ્વાસ પ્રસ્તાવની વિરૂદ્ધમાં ૩૨૫ મત અને અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં ૧૨૬ મત પડતાં મોદી સરકાર સામે ૪ વર્ષમાં પહેલીવાર લવાયેલો અવિશ્વાસ પ્રસ્તાવ ઊડી ગયો હતો. કુલ ૪૫૧ સાંસદોએ મતદાન કર્યું હતું.
લોકસભામાં શુક્રવારે મોદી સરકાર સામેના અવિશ્વાસ પ્રસ્તાવની ૧૨ કલાક લાંબી મેરેથોન ચર્ચા બાદ હાથ ધરાયેલા મતદાનમાં મોદી સરકાર હેમખેમ અગ્નિપરીક્ષામાં પાસ થઇ ગઇ હતી. ચર્ચાના અંતે ધ્વનિ મત અને મતવિભાજનથી મતદાન કરાવવવામાં આવ્યું હતું. ધ્વનિ મતમાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવનો પરાજય થયો હતો. મતવિભાજમાં અવિસ્વાસ પ્રસ્તાવની વિરૂદ્ધમાં ૩૨૫ મત અને અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં ૧૨૬ મત પડતાં મોદી સરકાર સામે ૪ વર્ષમાં પહેલીવાર લવાયેલો અવિશ્વાસ પ્રસ્તાવ ઊડી ગયો હતો. કુલ ૪૫૧ સાંસદોએ મતદાન કર્યું હતું.