-
કેન્દ્ર સરકારના મંત્રી અને દલિત નેતા રામદાસ અઠ્ઠાવલે આજે રવિવારે મહારાષ્ટ્રના અંબરનાથ શહેરમાં એક જાહેર સમારોહમાં સંબોધન કરીને નીચે ઉતરી રહ્યાં હતા ત્યારે તરત જ એક યુવક તેમની તરફ ધસી ગયો અને કોઇ કાંઇ સમજે તે પહેલાં મંત્રીને ધક્કો મારીને તરત જ એક લાફો પણ મારી દીધો હતો. આ ઘટના બાદ તરત જ મંત્રીના સુરક્ષા જવાનો અને ટેકેદારોએ હુમલાખોર યુવકને નીચે પાડી દઇને તેની ધોલાઇ કરી હતી અને ત્યાંથી લઇ ગયા હતા. મંત્રીને લાફો મારવા પાઠળનું કોઇ કારણ યુવકે આપ્યું નથી . આ યુવકે પોતે પણ મંત્રીની પાર્ટીનો કાર્યકર છે. નોંધનીય છે કે મંત્રીની પોતાની અલગ પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા છે અને કેન્દ્રમાં તે ભાજપની સાથે સહયોગી પાર્ટી છે. પોતાના પર આ રીતે થયેલા શારીરિક હુમલાથી ડઘાયેલા મંત્રી ત્યારબાદ મુંબઇ જવા રવાના થયા હતા. થોડાક સમય પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપર પણ મરચાંની ભૂક્કી નાંખીને હુમલાનો પ્રયાસ કરાયો હતો.
-
કેન્દ્ર સરકારના મંત્રી અને દલિત નેતા રામદાસ અઠ્ઠાવલે આજે રવિવારે મહારાષ્ટ્રના અંબરનાથ શહેરમાં એક જાહેર સમારોહમાં સંબોધન કરીને નીચે ઉતરી રહ્યાં હતા ત્યારે તરત જ એક યુવક તેમની તરફ ધસી ગયો અને કોઇ કાંઇ સમજે તે પહેલાં મંત્રીને ધક્કો મારીને તરત જ એક લાફો પણ મારી દીધો હતો. આ ઘટના બાદ તરત જ મંત્રીના સુરક્ષા જવાનો અને ટેકેદારોએ હુમલાખોર યુવકને નીચે પાડી દઇને તેની ધોલાઇ કરી હતી અને ત્યાંથી લઇ ગયા હતા. મંત્રીને લાફો મારવા પાઠળનું કોઇ કારણ યુવકે આપ્યું નથી . આ યુવકે પોતે પણ મંત્રીની પાર્ટીનો કાર્યકર છે. નોંધનીય છે કે મંત્રીની પોતાની અલગ પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા છે અને કેન્દ્રમાં તે ભાજપની સાથે સહયોગી પાર્ટી છે. પોતાના પર આ રીતે થયેલા શારીરિક હુમલાથી ડઘાયેલા મંત્રી ત્યારબાદ મુંબઇ જવા રવાના થયા હતા. થોડાક સમય પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપર પણ મરચાંની ભૂક્કી નાંખીને હુમલાનો પ્રયાસ કરાયો હતો.