-
18 જુલાઇથી સમસતના ચોમાસા સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ગયા બજેટ સત્રની જેમ આ સત્રમાં પણ કોંગ્રેસ સહિત અન્ય વિરોધ પક્ષો વિવિધ મુદ્દે મોદી સરકારને ઘેરીને સંસદની કાર્યવાહીમાં વિક્ષેપ પાડે તેમ સૂત્રો માની રહ્યાં છે. 10 ઓગસ્ટ સુધી ચાલનારા આ સત્રમાં મોદી સરકાર તીન તલાક સહિતના કાયદા પસાર કરીને રાજકીય લાભ લેવા માંગે છે ત્યારે વિપક્ષો બેરોજગારી, ભીડ દ્વારા રહેંસીને મારી નાંખવાની ઘટનાઓમાં સરકારની ઉદાસીનતા, દલિતો પરના અત્યાચાર કેસમાં આરોપીઓ પ્રત્યે નરમ વલણ, ખેડૂતોના પ્રશ્નો, પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ, મોંઘવારી અને રામ મંદિર જેવા મુદ્દાઓને લઇને લોકસભા અને રાજ્યસભામાં ભારે ધાંધલ-ધમાલ મચાવીને સત્ર તોફાની બને તેમ એંધાણ વર્તાઇ રહ્યાં છે.
-
18 જુલાઇથી સમસતના ચોમાસા સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ગયા બજેટ સત્રની જેમ આ સત્રમાં પણ કોંગ્રેસ સહિત અન્ય વિરોધ પક્ષો વિવિધ મુદ્દે મોદી સરકારને ઘેરીને સંસદની કાર્યવાહીમાં વિક્ષેપ પાડે તેમ સૂત્રો માની રહ્યાં છે. 10 ઓગસ્ટ સુધી ચાલનારા આ સત્રમાં મોદી સરકાર તીન તલાક સહિતના કાયદા પસાર કરીને રાજકીય લાભ લેવા માંગે છે ત્યારે વિપક્ષો બેરોજગારી, ભીડ દ્વારા રહેંસીને મારી નાંખવાની ઘટનાઓમાં સરકારની ઉદાસીનતા, દલિતો પરના અત્યાચાર કેસમાં આરોપીઓ પ્રત્યે નરમ વલણ, ખેડૂતોના પ્રશ્નો, પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ, મોંઘવારી અને રામ મંદિર જેવા મુદ્દાઓને લઇને લોકસભા અને રાજ્યસભામાં ભારે ધાંધલ-ધમાલ મચાવીને સત્ર તોફાની બને તેમ એંધાણ વર્તાઇ રહ્યાં છે.