અફઘાનિસ્તાનમાં થયેલા વિસ્ફોટમાં ભારતના શીખ સમુદાયના 11 લોકો સહિત કુલ 19નાં મોત થયાં છે. નંગારહર જિલ્લાના જલાલાબાદમાં આ આત્મઘાતી વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. પોલીસવડા ગુલામ સંયનીએ જણાવ્યું હતું કે સ્યુસાઇડ બોમ્બરે શીખ સમુદાયને લઈ જતા વાહનને જ ટાર્ગેટ કર્યા હતા.