-
મુંબઇ પોલીસ બેડા માટે એક કરૂણ ઘટનામાં શહેરના એડિશનલ પોલીસ કમિશ્નર હિંમાશુ રોયે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી જાતે જ ગોળી મારીને આત્મહત્યા કરતાં ભારે ચકચાર મચી હતી. છેલ્લાં કેટલાક સમયથી તેઓ જીવલેણ બિમારી કેન્સરથી પિડાતા હતા અને બિમારીથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે. તેઓ એટીએસના વડા તરીકે પણ સેવા આપી ચૂક્યા હતા.તેમણે પોતાની કરિયરમાં આઇપીએલ મેચમાં સટ્ટા કાંડ, ઇન્દ્રાણી મુખર્જી-પીટર કેસ, જે.ડે હત્યા કેસ વગેરે ઉકેલવામાં ભારે સફળતા મળી હતી. આમ તેઓ અપરાધીઓ સામે જીત્યા પણ કેન્સરની બિમારી સામે હારી ગયા હતા.
-
મુંબઇ પોલીસ બેડા માટે એક કરૂણ ઘટનામાં શહેરના એડિશનલ પોલીસ કમિશ્નર હિંમાશુ રોયે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી જાતે જ ગોળી મારીને આત્મહત્યા કરતાં ભારે ચકચાર મચી હતી. છેલ્લાં કેટલાક સમયથી તેઓ જીવલેણ બિમારી કેન્સરથી પિડાતા હતા અને બિમારીથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે. તેઓ એટીએસના વડા તરીકે પણ સેવા આપી ચૂક્યા હતા.તેમણે પોતાની કરિયરમાં આઇપીએલ મેચમાં સટ્ટા કાંડ, ઇન્દ્રાણી મુખર્જી-પીટર કેસ, જે.ડે હત્યા કેસ વગેરે ઉકેલવામાં ભારે સફળતા મળી હતી. આમ તેઓ અપરાધીઓ સામે જીત્યા પણ કેન્સરની બિમારી સામે હારી ગયા હતા.