સીબીઆઈ ભ્રષ્ટાચાર પર મચેલા કોહરામની વચ્ચે આંધ્ર સરકારે રાજ્યમાં સીબીઆઈના સીધા હસ્તક્ષેપ પર પાબંદી ફરમાવી દીધી છે. આંધ્ર સરકારે ઓગસ્ટમાં દિલ્હી પોલીસ સ્થાપના કાયદા હેઠળ સીબીઆઈને રાજ્યમાં તપાસ અને દરોડાની અનુમતિ આપી હતી પરંતુ હવે આંધ્ર સરકારે દિલ્હી પોલીસ સ્થાપના કાયદા હેઠળની સર્વસંમતિ પરત ખેંચતાં સીબીઆઈ માટે રાજ્યનાં દ્વાર બંધ થયાં છે. સીબીઆઈ પર પાબંદી મૂક્યા બાદ રાજ્ય સરકારે તપાસ, દરોડા કે તલાશીનું કામ એન્ટિકરપ્શન બ્યૂરોને સોંપવાનો નિર્ણય કર્યો છે.
સીબીઆઈ ભ્રષ્ટાચાર પર મચેલા કોહરામની વચ્ચે આંધ્ર સરકારે રાજ્યમાં સીબીઆઈના સીધા હસ્તક્ષેપ પર પાબંદી ફરમાવી દીધી છે. આંધ્ર સરકારે ઓગસ્ટમાં દિલ્હી પોલીસ સ્થાપના કાયદા હેઠળ સીબીઆઈને રાજ્યમાં તપાસ અને દરોડાની અનુમતિ આપી હતી પરંતુ હવે આંધ્ર સરકારે દિલ્હી પોલીસ સ્થાપના કાયદા હેઠળની સર્વસંમતિ પરત ખેંચતાં સીબીઆઈ માટે રાજ્યનાં દ્વાર બંધ થયાં છે. સીબીઆઈ પર પાબંદી મૂક્યા બાદ રાજ્ય સરકારે તપાસ, દરોડા કે તલાશીનું કામ એન્ટિકરપ્શન બ્યૂરોને સોંપવાનો નિર્ણય કર્યો છે.