ગીરમાં સિંહોનું વેકેશન શરૂ થયું છે. છેલ્લા એક વર્ષ માં 5 લાખથી વધુ પ્રવાસીએ સાસણની મુલાકાત લીધી તો વન વિભાગને 11 કરોડથી વધુની આવક થઈ છે. 16 જૂન થી સિંહ દર્શન માટેની મૌસમ પૂર્ણ થઈ છે. સિંહદર્શન રૂટના દરવાજા પર્યટકો માટે આગામી ચાર મહિના સુધી એટલે કે 15 ઑક્ટોબર સુધી બંધ રહેશે. સિંહ પ્રેમીઓ માટે દેવળીયા પાર્ક ખુલ્લું રહેશે.