બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીનાએ જાહેર કર્યું છે કે તેઓ દેશમાંથી સરકારી નોકરીઓમાં અનામત પ્રથા દૂર કરી રહ્યાં છે. ખાસ સમુદાયો માટે આરક્ષિત નોકરીઓની વિવાદીત નીતિ સામે બાંગ્લાદેશમાં ઘણાં સમયથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું. વિરોધ પ્રદર્શન હિંસક બન્યું અને 100થી વધુ વિદ્યાર્થી ગંભીરપણે ઘાયલ થતાં આખરે શેખ હસીનાએ સરકારી નોકરીઓમાં અનામત દૂર કરવાની જાહેરાત કરી હતી.