પાકિસ્તાને જાસુસીના આરોપમાં સંડોવાયેલા કુલભૂષણ જાધવને ભારતને સોંપવાનો ઈન્કાર કર્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યુ કે, કુલભુષણ જાદવને ભારતને સોંપવામાં નહીં આવે. જાસૂસીના આરોપ હેઠેળ કુલભૂષણને પાકિસ્તાનની આર્મી કોર્ટે મોતની સજા ફટકારી હતી. જોકે, બાદમાં આર્મી કોર્ટના ચૂકાદાને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આંતરાષ્ટ્રીય કોર્ટે જાદવની સજા પર રોક લગાવી હતી. આ મામલો આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પેન્ડિગ છે.